Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ:સુરતમાં મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે કીચડ કાઢતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત; 24 કલાકથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં
  • GUJARAT

પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ:સુરતમાં મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે કીચડ કાઢતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત; 24 કલાકથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં

Real August 7, 2023
pe2fb31n
Spread the love

સુરતના ચોક વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં કીચડ કાઢવાનું કામ કરતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે. જ્યારે મેટ્રોમાં અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કીચડ કાઢવા સમયે કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત
ડિંડોલી કૈલાસ નગર ખાતે રહેતા મરાઠી પરિવાર સાથે આવેલો ઈશ્વર મદન ખલસે (22) મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. રવિવારે બપોરે ઈશ્વર અને તેની બહેન સહિતના પરિવારના સભ્યો ચોક બજારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમ્યાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો. ત્યારે કીચડમાં કોઈક રીતે વીજપ્રવાહ પસાર થયો હતો, જેથી ઈશ્વરને કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ
બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાથી તેના પરિવારના સભ્યો અને સંબંધીઓઓ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે.

મૃતકની ફાઈલ તસવીર.
મૃતકની ફાઈલ તસવીર.

ઇન્સયોરન્સની લેખિતમાં બાહેધરી પછી મૃતદેહ સ્વીકારશે
મૃતકના ભાઇ સંતોષે જણાવ્યું હતું કે, મેટ્રોમાં અધિકારીઓએ મૃતકનો ઇન્સયોરન્સ કરાવવાની વાત કરી હતી. ઇન્સયોરન્સ કરાવવાની જવાબદારી લીધી હતી. કંપની પાસેથી રૂપિયા અપાવવાની જવાબદારી પણ લીધી હતી. જેનો લેખિતમાં બાહેંધરી નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહિ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમદાવાદ નજીકના કણેટી ગ્રામજનોએ શહીદ જવાનોના પરિવાર માટે ૧ લાખનું દાન કર્યું
Next: ચોમાસામાં સર્પદંશના કેસમાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં જુન-જુલાઇમાં 49 દર્દી નોંધાયા, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.