Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • હાઇકોર્ટ સમક્ષ પાલિકા કમિશનરે માંગી માફી:સુરત પાલિકા કમિશનર કોર્ટમાં હાજર રહ્યા, લિંબાયતમાં પ્લોટનો કબજો મૂળ માલિકને બદલે અન્યને સોંપી દેવાયો હતો
  • GUJARAT

હાઇકોર્ટ સમક્ષ પાલિકા કમિશનરે માંગી માફી:સુરત પાલિકા કમિશનર કોર્ટમાં હાજર રહ્યા, લિંબાયતમાં પ્લોટનો કબજો મૂળ માલિકને બદલે અન્યને સોંપી દેવાયો હતો

Real March 6, 2023
e0kz7dao
Spread the love

સુરત પાલિકા કમિશનરે શાલીની અગ્રવાલ હાઇકોર્ટમાં હાજર રહ્યા.

સુરત મહાનગરપાલિકા માટે ખૂબ જ દયનીય સ્થિતી આવીને ઊભી રહી હતી. અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરીને ટીપી નંબર 39માં જે મૂળ માલિકનો પ્લોટ હતો તે અન્ય કોઈને અંગત લાભને ધ્યાનમાં રાખીને સોંપી દીધો હતો. જે બાબતની હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તેના ઉપરવટ જઈને અધિકારીઓએ પ્લોટ અન્ય કોઈને સોંપી દેતા હાઇકોર્ટે મનપા કમિશનર શાલીની અગ્રવાલનો ઉઘાડો લીધો હતો. જેને લઈને આજે હાઈકોર્ટમાં પાલિકા કમિશનરે માફી માંગી હતી.

પાલિકા કમિશનરે બિનશરતી માફી માગી
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીને લઈને હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. અને જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા હતા તેની આકરી ઝાટકણી પણ કાઢી હતી. લિંબાયત વિસ્તારની ટીપી નંબર 39માં જે પ્લોટ મૂળ માલિકનો હતો તેનો અધિકારીઓએ અન્ય કોઈને કબજો સોંપી દીધો હતો. હાઇકોર્ટના ધ્યાને આ બાબત આવતા હાઈકોર્ટે કમિશનરને બિનશરતી માફી માંગવા માટે આદેશ કર્યો હતો અને હાઇકોર્ટમાં આજે હાજર રહેવા માટેનું પણ ફરમાન હતું. આખરે આજે કમિશનર પોતે હાઇકોર્ટમાં હાજર રહીને બિનશરતી માફી માંગી લીધી હતી.

મનપા અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો
હાઇકોર્ટમાં ટીપી નંબર 39ના પ્લોટની કબજા અંગેની સુનાવણી ચાલી રહી હોવા છતાં પણ અધિકારીઓએ પોતાના અંગત વ્યક્તિને લાભ આપવાનો સંપૂર્ણ રીતે પ્રયાસ કર્યો હોવાનું ધ્યાન આવ્યું છે. એક પ્રકારે કહીએ તો અધિકારીઓએ ખૂબ મોટો ભ્રષ્ટાચારનો ખેલ આ પ્લોટનો કબજો આપવામાં કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આખરે આ તમામ કાર્યવાહી જ્યારે હાઇકોર્ટના સમક્ષ આવી ત્યારે હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાના કમિશનરની આંકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાઇકોર્ટના આદેશથી ઉપરવટ જઈને અધિકારીઓએ કાર્યવાહી કરી છે જેને સાખી લેવાય નહીં. હાઇકોર્ટે આ બાબતને એડવોકેટ જનરલના ધ્યાને પણ તાત્કાલિક અસરથી મૂકી હતી.

એડવોકેટ જનરલે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું
​​​​​​​
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાઇકોર્ટની અવમાનના કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. હાઇકોર્ટે આ બાબતને અતિ ગંભીરતાથી લેતા તાત્કાલિક એડવોકેટ જનરલને આ બાબતે સોગંદનામુ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી અધિકારીઓની સામે સુરત મહાનગરપાલિકા કયા પ્રકારના પગલા ભરે છે તે અંગે પણ માહિતી એકત્રિત કરવાનું કહેવાયું હતું. કોર્ટમાં આજે મ્યુનિસિપલ કમિશનરે હાજરી આપીને માફી માંગી લીધી હતી તેમજ એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.

મનપના અધિકારીઓએ સબક લેવી જોઈએ
લિંબાયત ટીપી નંબર 39ના પ્રકરણમાં પ્લોટનો કબજો આપવા બાબતે તો અધિકારીઓએ હદ વટાવી હતી અને હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા હતા. આખરે હાઇકોર્ટે બરાબરની ફટકાર લગાવ્યા બાદ કમિશનર સહિતના અધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. મનપના અધિકારીઓએ સબક લેવાની જરૂર છે કે પોતાના અંગત અને માનીતા લોકોને લાભ કરાવો અથવા તો પોતાના અંગત લાભને કારણે કેટલાક વ્યક્તિઓને લાભ કરાવી દેવાની જે માનસિકતા છે તેમાંથી બહાર આવવું જોઈએ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મુસાફરોનો ધસારો:સુરત ST બસ વિભાગે હોળી-ધૂળેટીને લઈને છેલ્લા 4 દિવસમાં 565 એક્સ્ટ્રા બસો દોડાવી, 73 લાખથી વધુની આવક મેળવી
Next: સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ જવાના ચક્કરમાં કરોડોની ગાડીનો ભુક્કો બોલાવી દીધો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.