Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • માનહાનિ કેસમાં રાહુલની સજા પર સ્ટે:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શા માટે મહત્તમ સજા આપવામાં આવી? કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે મોહબતની જીત છે, સત્યમેવ જયતે
  • BUSINESS

માનહાનિ કેસમાં રાહુલની સજા પર સ્ટે:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શા માટે મહત્તમ સજા આપવામાં આવી? કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે મોહબતની જીત છે, સત્યમેવ જયતે

Real August 4, 2023 1 minute read
oucuht3t
Spread the love

આ મામલે છેલ્લી સુનાવણી 2 ઓગસ્ટે થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે માનહાનિના કેસમાં તેમને સજા આપવામાં આવી છે, જેના કારણે તેમણે સાંસદપદ ગુમાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ, આશા છે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશો. સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડ અને ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં, પરંતુ 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે. રાહુલને રાહત મળતાં કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે મોહબતની જીત છે, સત્યમેવ જયતે- જય હિન્દ.

કોર્ટે પૂછ્યું કે શું આ કેસમાં મહત્તમ સજા શા માટે? કહ્યું- તેમને ઓછી સજા આપી શકાઈ હોત. તેઓ ગેરલાયક ઠરતા નથી. સજા 1 વર્ષ અને 11 મહિનાની થઈ શકતી હતી. કોર્ટે કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે જે પણ કહેવામાં આવ્યું એ સારું નહોતું. નેતાઓએ જાહેરમાં બોલતી વખતે સાવચેત રહેવું જોઈએ. રાહુલ ગાંધીએ એનું ધ્યાન રાખવું જોઈએ.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી- સજાનું કારણ જણાવવાનું હતું, પરંતુ ઓર્ડરમાં એના પર કશું લખવામાં આવ્યું નથી. માત્ર રાહુલની રાજકીય કારકિર્દી ચાલુ રાખવાના અધિકારને અસર થઈ નથી, પરંતુ તેમને ચૂંટનારા લોકો પર પણ અસર થઈ હતી.

આ દરમિયાન કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું કે.મહત્તમ સજા કરવા માટે કોર્ટે કયાં કારણો આપ્યાં છે. ઓછી સજા આપી શકાઈ હોત, જેથી સંસદીય ક્ષેત્રના જનતાના અધિકારો પણ યથાવત્ રહ્યા હોત. રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી કરી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ​​​​​​કહ્યું હતું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે.

રાહુલ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીના 2024ની ચૂંટણી લડવાની શક્યતા પર ઘેરાયેલાં વાદળો દુર થઈ ગયા છે. જો સુપ્રીમ કોર્ટે પણ રાહુલને દોષિત ઠેરવતા નીચલી અદાલતના નિર્ણય પર સ્ટે ન મૂક્યો હોત તો તેઓ 2024ની લોકસભાની ચૂંટણી લડ્યા ન હોત.સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડ અને તાજેતરના નિર્ણય બંનેથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે.

રાહુલના કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ, પીએસ નરસિમ્હા અને સંજય કુમારની બેન્ચ કરી રહી છે. રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે આપવાની માગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં રાહુલની બે વર્ષની સજા પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો હતો.

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. 23 માર્ચે ગુજરાતની સેશન્સ કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલે સાંસદ પદ ગુમાવ્યું હતું. બાદમાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાં પણ તેમને રાહત ન મળી. 7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે તેના ચુકાદામાં બે વર્ષની સજાને યથાવત્ રાખી હતી. આખરે 15 જુલાઈના રોજ રાહુલે સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

3 એપ્રિલે રાહુલે સુરતની સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશ સામે સુનાવણીની અરજી દાખલ કરી હતી. વીડિયો એ જ દિવસનો છે.
3 એપ્રિલે રાહુલે સુરતની સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશ સામે સુનાવણીની અરજી દાખલ કરી હતી. વીડિયો એ જ દિવસનો છે.

કોર્ટરૂમ LIVE

રાહુલના વકીલઃ માનહાનિના કેસને કારણે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂપ કરાવી દેવામાં આવ્યા? લોકશાહીમાં મતભેદો છે. હું આ સમજું છું અને મને નથી લાગતું કે રાહુલ ગાંધીનો મોદી સરનેમ ધરાવતા તમામ લોકોને બદનામ કરવાનો ઈરાદો હતો. આ કોઈ ગંભીર ગુનો નથી, જામીનપાત્ર કેસ છે.

સુપ્રીમ કોર્ટે બે વખત સુનાવણી કરી છે…

જુલાઈ 21: 15 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યા પછી જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે 21 જુલાઈના રોજ આ મામલે પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી શરૂ કરતાં પહેલાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તેમના પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને તેમના ભાઈ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં તેમની સુનાવણીમાં કોઈપણ પક્ષને કોઈ વાંધો નથી. આના પર બંને પક્ષોએ કહ્યું કે તેમને આનાથી કોઈ સમસ્યા નથી.

રાહુલના વકીલઃ તે ગંભીર ગુનેગાર નથી. ભાજપના કાર્યકરોએ કેટલાય કેસ નોંધાવ્યા તે ખબર નથી, પરંતુ એક સિવાય ક્યારેય કોઈ સજા થઈ નથી. મોદી સમુદાયમાં જે લોકો રાહુલના નિવેદનથી નારાજ છે તે માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરો છે. આ એક ગંભીર મુદ્દો છે કારણ કે એક માણસ ગેરલાયકાતનો સામનો કરી રહ્યા છે.

રાહુલના વકીલઃ મારી દલીલો પૂરી થઈ ગઈ હોવા છતાં કોર્ટે 66 દિવસ માટે ચુકાદો અનામત રાખ્યો હતો. મેં મેમાં દલીલો પૂરી કરી અને જુલાઈમાં ચુકાદો આવ્યો. હજુ સુધી, ચૂંટણી પંચે કેરળ બેઠક માટે પણ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. તેઓ વિચારશે કે જીતવાની શક્યતા ઓછી છે.

સુપ્રીમ કોર્ટઃ આ મામલાને રાજકીય ન બનાવો. સિંઘવીજી અને જેઠમલાણીજી, તમે આ બધી બાબત રાજ્યસભા માટે બચાવીને રાખો.

પૂર્ણેશ મોદીના વકીલઃ મહેશ જેઠમલાણીએ કહ્યું, રાહુલ ગાંધીએ શું કહ્યું? સારું, એક નાનો પ્રશ્ન, આ બધા ચોરના નામ મોદી, મોદી, મોદી કેવી રીતે છે. જો તમે લલિત મોદી, નીરવ મોદી અને થોડું વધુ શોધશો તો બીજા બધા મોદી બહાર આવશે. તેમનો ઉદ્દેશ્ય મોદી અટકવાળા દરેક વ્યક્તિનું અપમાન કરવાનો હતો. આ એટલા માટે, કારણ કે તે વડાપ્રધાનના નામમાં જોવા મળે છે. તે દ્વેષથી પ્રેરિત હતું.

પૂર્ણેશ મોદીના વકીલઃ સમગ્ર ભાષણ 50 મિનિટથી વધુનું છે. ઘણા પુરાવા છે. આ ભાષણની ક્લિપિંગ્સ ચૂંટણી પંચના રેકોર્ડમાં નોંધાયેલી છે.

સુપ્રીમ કોર્ટઃ એવા કેટલા રાજકારણીઓ છે, જેમને યાદ છે કે તેમણે એક દિવસમાં 15-20 મીટિંગ કરી છે, તો તેમાં શું કહેવાયું છે?

સુપ્રીમ કોર્ટ: અમે જાણવા માંગીએ છીએ કે જજે મહત્તમ સજા કેમ ફટકારી. જો ન્યાયાધીશે 1 વર્ષ 11 મહિનાની સજા સંભળાવી હોત તો રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં ન આવ્યા હોત.

રાહુલના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે રાહુલ ગાંધી સંસદના સત્રમાં ભાગ લઈ શક્યા નથી અને ચોમાસુ સત્ર પણ ચાલી રહ્યું છે. વાયનાડ લોકસભા સીટ માટે પેટાચૂંટણીની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ મામલાની સુનાવણી જલ્દી થવી જોઈએ.

સિંઘવીએ રાહુલ માટે વચગાળાની રાહત પણ માંગી હતી. તેના પર કોર્ટે કહ્યું કે તેઓ બીજી બાજુ સાંભળ્યા વિના વચગાળાની રાહત આપી શકે નહીં.

2 ઓગસ્ટ: 2 ઓ-ગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં કેસની ફરી સુનાવણી થઈ. પ્રથમ સુનાવણીમાં કોર્ટે બંને પક્ષોને તેમના જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું. પૂર્ણેશ મોદીએ કોર્ટમાં 21 પાનાનું એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે મોદી સરનેમ કેસમાં રાહુલનું વલણ ઘમંડી છે. તેની અરજી ફગાવી દેવી જોઈએ.

રાહુલે કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. માફી માંગવાનો ઇનકાર કરવા બદલ મને ઘમંડી કહેવામાં આવ્યો, આ નિંદનીય છે.

હવે જાણો શું છે સમગ્ર મામલો…
11 એપ્રિલ 2019 ના રોજ, રાહુલ ગાંધીએ કોલાર, બેંગલુરુમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. આ અંગે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિની ​​ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાર વર્ષ સુધી ચાલ્યો અને આ વર્ષે 23 માર્ચે ચુકાદો આવ્યો. માનહાનિના કેસમાં રાહુલને મહત્તમ બે વર્ષની સજા થઈ છે. જેના કારણે તેમનું સાંસદ પદ રદ કરાયું હતું

રાહુલ ગાંધીને મળેલી સજાનું શું મહત્વ છે?

જો રાહુલને SC તરફથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી ચૂંટણી લડી શકશે નહીં.
જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ કેસમાં રાહુલને 23 માર્ચ 2023ના રોજ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. નિયમો અનુસાર સજા પૂર્ણ થયા બાદ છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમની સજા 2025માં પૂર્ણ થશે અને ત્યારબાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ રહેશે.

ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં રાહુલની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચાકે કહ્યું હતું કે, રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં સુરત કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આ કેસમાં સજા ન્યાયી અને યોગ્ય છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા આ માનહાનિના કેસ વિશે પણ વાંચો

  • 2014 માં રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. યુનિયનના કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસ મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં ચાલી રહ્યો છે.
  • 2016 માં, આસામના ગુવાહાટીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંઘના સભ્યોએ તેમને આસામમાં 16મી સદીના વૈષ્ણવ મઠ બારપેટા સત્રમાં પ્રવેશવા દીધા ન હતા. તેનાથી સંઘની છબીને નુકસાન પહોંચ્યું છે. આ મામલો કોર્ટમાં પણ પેન્ડિંગ છે.
  • 2018 માં રાહુલ ગાંધી વિરુદ્ધ ઝારખંડની રાજધાની રાંચીમાં બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ રાંચીના સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ રાહુલ વિરુદ્ધ 20 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં રાહુલના એ નિવેદન સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘મોદી ચોર છે.
  • 2018 માં જ રાહુલ ગાંધી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મઝગાંવ સ્થિત શિવડી કોર્ટમાં ચાલી રહ્યો છે. આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. યુનિયનના કાર્યકર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ પર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને સંઘની વિચારધારા સાથે જોડવાનો આરોપ છે.
  • 2018 માં ADC બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો હતો કે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી બાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પાંચ દિવસમાં 745.58 કરોડ રૂપિયાની જૂની નોટો બદલાઈ ગઈ હતી. આ બેંકના ડિરેક્ટરોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે.
  • 2017 માં બેંગલુરુમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે આરએસએસને કથિત રીતે જોડવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મુંબઈમાં માનહાનિની ​​ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ કહ્યું હતું કે આરોપીના નિવેદનની ભાવના બદનક્ષીભરી છે અને લોકોની નજરમાં સંઘની છબીને બદનામ કરે છે.
  • 2018 માં, રાહુલે રાફેલ ફાઇટર જેટ ડીલ પર ભાજપની મજાક ઉડાવી અને કેપ્શન ટ્વીટ કર્યું – ધ સેડ ટ્રુથ અબાઉટ ઇન્ડિયા કમાન્ડર ઇન થીફ. આ મામલે રાહુલ વિરુદ્ધ ગુડગાંવની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
  • 2019 માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર જબલપુરમાં હત્યાનો આરોપ લાગ્યો હતો. જે અંગે અમદાવાદ કોર્ટમાં રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
  • 2019 માં ઝારખંડમાં રાહુલે કહ્યું- કોંગ્રેસ ભાજપના હત્યારાને પાર્ટી અધ્યક્ષ તરીકે સ્વીકારશે નહીં. તેમના નિવેદન પર ચાઈબાસા અને રાંચીમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
  • 2022 માં, રાહુલે કહ્યું કે સાવરકરે આઝાદી પહેલા અંગ્રેજો પાસેથી માફી પર હસ્તાક્ષર કર્યા હતા. સાવરકરના પૌત્ર વિનાયક સાવરકરે આ મામલે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી
Next: સુરતના કતારગામમાં મનપાના પ્લોટ પર મંદિર બને તે પહેલાં જ ડિમોલીશન : ડિમોલીશન દરમિયાન સ્થાનિકોનો હાબોળો

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.