Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • અમદાવાદ નજીકના કણેટી ગ્રામજનોએ શહીદ જવાનોના પરિવાર માટે ૧ લાખનું દાન કર્યું
  • GUJARAT
  • INDIA

અમદાવાદ નજીકના કણેટી ગ્રામજનોએ શહીદ જવાનોના પરિવાર માટે ૧ લાખનું દાન કર્યું

Real August 5, 2023
kanoti
Spread the love

ગુજરાતનું એક પ્રગતિશીલ ગામ અમદાવાદ નજીક સાણંદ તાલુકાનું કણેટી છે. આ ગામના વીર જવાન
પુષ્પરાજસિંહ રમેશસિંહ વાઘેલા ગત તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ વીરગતિ પામ્યા છે. આ શહીદ જવાનના
પરિવારને જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રૂ. ૨ લાખની સહાય સન્માન સાથે અર્પણ કરી હતી. ત્યારે આ
ગામના યુવા અગ્રણીઓ કણેટી ગામ થી ખાસ સુરત આવ્યા અને મહેમાનોની હાજરીમાં રૂપિયા ૧ લાખ નો ચેક જય જવાન
નાગરિક સમિતિ સુરતને ટીમના સભ્યોશ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા, નરેન્દ્રભાઈ ડોબરીયા, લવજીભાઈ મોરડિયા અને
ધર્મેશભાઈ કોદાળાની હાજરીમાં અર્પણ કર્યો હતો.

ગુજરાતના આદર્શ ગામ કણેટી માંથી ૪૦ થી વધુ પોલીસ અધિકારીઓ છે. ૨૦૦૦ ની વસ્તી ધરાવતા કણેટી ગામે
ક્ષત્રીય સંઘના કાર્યકર્તાઓ એ ગામને વ્યસન મુક્ત અને પ્રગતીશીલ બનાવવાનું ભગીરથ કામ કર્યું છે.
ગામની સરપંચ ઠાકોર મધુબેન પ્રતાપજી ઠાકોર તથા આગેવાન દિવાનસિંહ વિસુભા અને ગામના નિવૃત શિક્ષિક
જયંતીભાઈ પટેલ સહીત આગેવાનોએ જય જવાન નાગરિક સમિતિની ટીમને આવકારીને સુરતની જનતાને ધન્યવાદ
પાઠવ્યા હતા.

નાનકડા કણેટી ગામમાં એક ટ્રસ્ટ બનાવી ગામની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે છે. ગામની શાળા હાઇટેક્
છે. દરેક વર્ગ ખંડમાં ડીઝીટલ માધ્યમથી બાળકોને ભણાવવામાં આવે છે. ખેતીવાડીમાં સમૃદ્ધ ગામે લીલી વનરાઈમાં
૧૫૦૦ થી વધુ મોર અને અસંખ્ય પક્ષીઓ કલરવ કરે છે. સુઘડ-સ્વચ્છ અને તંદુરસ્ત ગામે ગુજરાતનું આદર્શગામ નો એવોર્ડ
મેળવેલ છે. આ ગ્રામજનો એ ગામ સમૂહના ફંડ માંથી સુરતની જય જવાન નાગરિક સમિતિ રૂપિયા ૧ લાખ વીર
જવાનોના પરિવાર માટે આપ્યો ત્યારે લોકોએ સગૌરવ ભાવ સાથે વધાવી લીધો હતો.

 

ઇન્સ્ટાગ્રામ પર સમાચાર મેળવવા 👇નીચેની લિન્ક ઓપન કરી ફોલો કરો 📍
https://www.instagram.com/real.network.news/

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કેદારનાથના ગૌરીકુંડમાં ભૂસ્ખલનથી તારાજી, 2 મૃતદેહો જ મળ્યાં, 19 લોકોએ જીવ ગુમાવ્યાંની આશંકા ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાય ગઈ
Next: પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ:સુરતમાં મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે કીચડ કાઢતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત; 24 કલાકથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.