Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી
  • GUJARAT

જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી

Real July 13, 2023
WhatsApp Image 2023-07-13 at 3.30.09 PM
Spread the love

ઇન્સ્ટાગ્રામ પર સમાચાર મેળવવા 👇નીચેની લિન્ક ઓપન કરી ફોલો કરો 📍
https://www.instagram.com/real.network.news/

 

કામરેજ રહેતા એક રત્નકલાકાર પરિવારના બંને દીકરા આર્મીમાં હતા. પરંતુ નાના દીકરા દેશ માટે શહીદ થયા અને બીજો દીકરો હાલ લેહ-લદાખમાં ફરજ પર તૈનાત છે. કામરેજ ખાતે વિઝડમ સ્કૂલ ખાતે વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી હતી.

મહેસાણાના ચાણસોલ ગામના વતની અને હાલ કામરેજ રહેતા દિલીપસિંહ અંબુજી રાણાને સંતાનોમાં લવ-કુશ જેવા બે દીકરા હતા. બંને દીકરાઓને રાષ્ટ્ર માટે આર્મીમાં મોકલ્યા. નાના દીકરા રાજપૂત ભરતસિંહ લેહ-લદાખ ખાતે માઈનસ -૨૫ ડીગ્રીમાં સરહદ પર તૈનાત હતા. બર્ફીલી કાતિલ ઠંડીને કારણે બીમાર પડતા લેહની કમાન્ડો હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન તા.૨૮-૧૨-૨૦૨૨ના રોજ વીરગતિ પામ્યા છે. વિરજવાન રાજપૂત ભરતસિંહજી ધો.૧૧ પાસ કરી ૨૦૦૯માં આર્મીના આર્મ રેજીમેન્ટમાં જોડાયા હતા. વિર શહીદ જવાનના પિતા દિલીપસિંહ રાણા તથા માતા ગજરાબેને વ્હાલસોયા દીકરાને ગુમાવ્યો છે. જયારે તેમના પત્ની ભાવનાબેને સુહાગનું બલિદાન આપ્યું છે. તે પરિવારને જય જવાન નાગરિક સમિતિ સુરત, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહિલા વિંગ અને વિઝડમ સ્કુલના સયુંકત આયોજનથી પરિવારને સન્માન સાથે કુલ ૨.૫ લાખ રૂપિયાનો સહૃદયથી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

 

વિરશહીદ ભરતસિંહના પરિવારના અભિવાદન માટે વિઝડમ સ્કૂલ, કામરેજ ખાતે યોજાયેલા સહાય અર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નિવૃત પ્રોફેસર કોકીલાબેન મઝેઠીયા તથા નિવૃત શિક્ષિકા ઇલાબેન રાજ્યગુરુ ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બંને બહેનો હાલ નિવૃત છે. પરંતુ પેન્શન વગેરે આવકમાંથી શહીદ પરિવારો માટે જય જવાન નાગરિક સમિતિ સુરતને આર્થિક સહયોગ આપે છે.

જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી દર વર્ષે શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય સહાય અર્પણ કરવા માટે દર વર્ષે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ ૧૮ પરિવારોનું સન્માન થશે. તે પૈકી શહીદ રાજપૂત ભરતસિંહજીના પરિવારને તેમના ઘરે સહાય અર્પણ કરવાના ભાગરૂપે વિઝડમ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરી સહાય અર્પણ કરવામાં આવી હતી.

જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રૂI.૧,૫૦,૦૦૦, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહિલા વિંગની બહેનો તરફથી રૂI.૬૦,૦૦૦ તથા વિઝડમ સ્કૂલ તરફથી રૂI.૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા વીંગના શ્રીમતિ જયશ્રી બેન ભાલાળા, વીણાબેન પટેલ, કુંદનબેન માલવિયા, વિમળાબેન ટીંબડીયા, વર્ષાબેન ગોંડલીયા અને હર્ષાબેન ઠુંમર વગેરે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારના આશાબેન પટેલ, ઈશાબેન પટેલ અને વૈશાલીબેન લક્કડ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજના અગ્રણીશ્રી રામજીભાઈ ઈટાલીયા, શ્રી દિનેશભાઈ પટેલ ગેરેજવાળા, શ્રી કેતનભાઈ દુધાગરા અને શ્રી અલ્પેશભાઈ વાડદોરિયા તથા શ્રી ભીખુભાઈ ટીંબડીયા, શ્રી કાળુભાઈ શેલડીયા તથા શ્રી મનજીભાઈ વાઘાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ સૈનિક મળે તો જય હિન્દ અને સૈનિકના માતા-પિતા મળેતો પ્રણામ કરવાનો સંકલ્પ કરાયો હતો. પરિવારના સન્માન સમયે સજળનેત્રે લોકોએ ભાવાંજલિ અર્પણ કરી હતી. શાળાના સંચાલકશ્રી નરેશભાઈ લક્કડના આયોજનને સર્વોએ બિરદાવ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અઠવાડિયાથી સ્થિર ડેમની સપાટીમાં વધારો:ઉકાઇ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણીનો ઇન્ફલો, સપાટી વધીને 309.37 ફુટ પર પહોંચી
Next: એ કાકા જાય રે…જાય:સુરતમાં એક કાકાએ રોંગ સાઇડમાં એક્ટિવા દોડાવી ભલભલાને અચંબામાં મૂક્યા; સામેથી આવતા લોકોના જીવ અધ્ધર; વીડિયો વાઇરલ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.