Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • ચોમાસામાં સર્પદંશના કેસમાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં જુન-જુલાઇમાં 49 દર્દી નોંધાયા, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત
  • GUJARAT

ચોમાસામાં સર્પદંશના કેસમાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં જુન-જુલાઇમાં 49 દર્દી નોંધાયા, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત

Real August 7, 2023
c5p9fq6s
Spread the love

વરસાદના કારણે સાપ કરડવાના બનાવો સુરતમાં વધી રહ્યા છે. આવા દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી જવાને કારણે મોતના મુખમાંથી બહાર આવી રહ્યા છે. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસમાં સાપ કરડવાથી સારવાર માટે આવેલા 49 જેટલા દર્દી નોંધાયા છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. જો કે, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત થયા હતા.

જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી
સુરતમાં સાપ ડંખ મારવાના બનાવો નોંધપાત્ર વધારો થઇ રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા. દર્દીઓ સમયસર પહોચતા અને યોગ્ય સારવાર માળતા તમામ દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ અપાયો છે. સાપ કરડ્યા બાદ દર્દીઓને સાપના ઝેર સામે રક્ષણ આપે એવા પોલીવેલેન્ટ એન્ટી સ્નેક વીનમ ઇન્જેકશન અપાય છે. સાપ કરડે તો જેમ બને તેમ જલદી હોસ્પિટલમાં દાખલ થવું જરુરી છે.

ઝેરી સાપ કરડવાથી મોત પણ થઈ શકે
ઝેરી સાપ કરડવાથી તે વ્યકિતના મગજ, કરોડરજ્જુ, જ્ઞાન તંતુ સહિતના ભાગ પર અસર કરે છે. જ્યારે વાસ્કયુલર ટોકસીસમાંના બે પ્રકારમાં ૨સલ વાઇપર, સોસસ્કેલ્ડ વાઇપર છે. જે લોહી સહિતના ભાગ પર અસર કરે છે. જેથી સાપ કરડે એટલે તે વ્યકિતને તુરંત સારવાર આપવી જોઇએ. જો સારવારમાં મોડું કરવામાં આવે તો મોત પણ થઈ શકે છે. જો કે, સુરત સિવિલમાં છેલ્લા બે મહિનામાં સર્પદંશના એક પણ દર્દીનું મોત ન થયું હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.

મે મહિનામાં બે દર્દીના મોત થયા હતા
સુરતમાં ચોમાસા પહેલા જ સાપ કરડવાના મે મહિનામાં 14 કેસ નોંધાયા હતા. જેમાં 12 જેટલા દર્દીઓ સાજા થઈ ગયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ જૂન મહિના બાદ જુલાઈ મહિનામાં કેસમાં અઢી ગણો વધારો થયો છે. જોકે એક પણ દર્દીનું મોત થયું ન હતું.

Continue Reading

Previous: પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ:સુરતમાં મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે કીચડ કાઢતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત; 24 કલાકથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં
Next: નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.