Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • October
  • પરિવર્તનને સમજી શકે તે જ, નવી તકોને ઓળખી શકે છે..શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત
  • AZAB-GAZAB
  • BUSINESS

પરિવર્તનને સમજી શકે તે જ, નવી તકોને ઓળખી શકે છે..શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત

Real October 19, 2023
WhatsApp Image 2023-10-19 at 4.45.23 PM
Spread the love

એક સદવિચાર પ્રગતિને દિશા અને ગતિ આપતો હોય છે એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોના વાવેતર કાર્યક્રમ શ્રેણી શરુ કરવામાં આવી છે. વરાછા-કામરેજ રોડ પર નિર્માણાધીન “જમનાબા ભવન” ખાતે યુનીવર્સીટી ઓફ થોટ્સમાં યોજાયેલ થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનાં ૩૨મો વિચાર હાર્દિકભાઈ ચાંચડે રજુ કરતા જણાવ્યું હતું કે… “પરિવર્તન સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે.” નવા સંજોગોમાં જો પરિવર્તનને સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે. નવા સંજોગોમાં જો નવું પરિવર્તન સમજી શકાય તો જ મળતી નવી તકોનો યોગ્ય સમયે પારખી શકાય. જીવનની અઢળક શક્યતાઓ દરેક પરિવર્તનમાં છુપાયેલી હોય છે. સતત કાર્યશીલ રહેવાથી પ્રગતિ જરૂર થાય છે. જોખમ લીધા વિના કે સોપેલ કોઈ પણ કાર્યને નિષ્ઠાપૂર્વક કરવાથી જ સફળતા મળે છે.

વિચારના અનુસંધાનમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી શ્રી રજનીભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે યોગ્ય ખંતથી પ્રયત્ન કરવામાં આવે તો કુદરત પણ ધાર્યું આપવા હંમેશા તૈયાર જ હોય છે. સારા વિચારો પણ સૂર્યની શક્તિ માફક નવસર્જન કરી શકે છે.

થર્સ-ડે થોટ્સના બ્રાંડ એમ્બેસેડરશ્રી ડૉ. અમુલખભાઈ સવાણી રચીત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિરસમય કાવ્યાંજલિ ૧૦૮ કૃષ્ણ કાવ્યો કોશ “પુષ્પાંજલિ” પુસ્તકનું આજે આ કાર્યક્રમમાં વિમોચન દાતા ટ્રસ્ટીશ્રીઓ અને સમાજ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને આ બુકને તમામ પ્રેક્ષકગણ મિત્રોને ભેટરૂપે આપનાર પુસ્તક સૌજન્યશ્રી તથા કિરણ મહિલાભવનના પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબના દાતાશ્રી જયંતીભાઈ એકલારા તથા પ્રવીણાબેન જે. બાબરીયાનું સ્વાગત સત્કાર સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુવાટીમના શ્રી રાજુભાઈ ગૌદાણીએ ગત ગુરુવારોના વિચારોનું અનુસંધાન આપ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું. સમગ્ર વ્યવસ્થા ટીમ-૧૦૦ એ સાંભળી હતી.

Continue Reading

Previous: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થિક જાગૃતિ સાથે યોજાશે ૬૫મો સમૂહલગ્નોત્સવ
Next: સરદારધામ દક્ષિણ ગુજરાત પ્રોજેક્ટ સ્થળે મહાભૂમિપૂજન માટે પ્રથમ સંકલન મિટિંગનું થયું આયોજન.

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.