Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • December
  • પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
5
Spread the love

સકારત્મક વિચારોથી સાર્થક જીવનની ખરી દિશા મળે છે. ભાગવદ્દગીતા જીવન જીવવાની જડીબુટ્ટી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે યોજાતા કાર્યક્રમમાં આજે સમાજ શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ઉપરોક્ત વિષયમાં વધુ જણાવ્યું હતું કે ગીતાગ્રંથ જીવવાના તમામ પ્રશ્નોના જવાબો આપે છે. નિયમિત ગીતાજીનું પઠન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા ઉદારતાનો જ ઈતિહાસ લખાય છે. લાયકાત કેળવો તો જીવનમાં બધુ જ મળે છે. એ કુદરતનો નિયમ છે.

“જમનાબા ભવન” ખાતે સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ જી. પટેલની ઉપસ્થિતિમાં યોજયેલ ૩૯માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે જીવનમાં “પૈસા કરતા ચારિત્રનું મહત્વ વધુ છે.” “પદ અને પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે.” ચારિત્રને આપણે ખુબ માર્યાદિત અર્થમાં સમજીએ છીએ. સ્ત્રી-પુરુષ વચ્ચેનાં અનૈતિક સંબંધને માટે ચારિત્ર સમજીએ છીએ તે પુરતું નથી. ખરેખર ચારિત્ર એટલે જીવની, જીવન, આચરણ, સદાચાર અને આદર્શ જીવન એવો થાય છે. વ્યક્તિ તેના પૈસાથી નહિ જીવન વ્યવહારથી ઓળખાય છે. જીવન વ્યવહાર – આચરણ એટલે ચારિત્ર. દીકરીના સબંધ માટે દીકરીનો પરિવાર મુરતિયાની શિક્ષણ અને સંપતિ ઉપરાંત વધુ કંઈક જુએ છે. તેનો સ્વભાવ, વ્યવહાર અને વાણી વર્તન… આ બાબત તેનું ચારિત્ર છે. વિવેકપૂર્ણ જીવન હોય તો જ ચારિત્ર જન્મે છે. સદવિચાર, સમજણ અને સંસ્કાર ચારિત્રનું ધડતર કરે છે.


અમેરિકાથી પધારેલ શ્રી ચતુરભાઈ સભાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિચારોનું વાવેતર કાર્યક્રમ વર્તમાન સમયની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું અન્ય વ્યક્તિ તરફથી હંમેશા આદર રાખવો… તે જીવનનો સદગુણ છે. આ કાર્યક્રમમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસીયા, દાતા ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ ગરીમલીવાળા તથા મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરમસુખ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ૧૦૦ ના સભ્યોએ વ્યવસ્થા જાળવી હતી. હાર્દિક ચાંચડ અને ભાવેશભાઈ રફાળીયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: નિવૃત પ્રો.કોકીલાબને મજીઠીયાનું શહીદોના પરિવારો માટે ૭ લાખનું દાન
Next: આહાર, વિચાર અને આચરણ એ જીવનમાં સુખ:દુઃખનો આધાર છે..થર્સ-ડે થોટ્સ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.