Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • December
  • પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
5
Spread the love

સકારત્મક વિચારોથી સાર્થક જીવનની ખરી દિશા મળે છે. ભાગવદ્દગીતા જીવન જીવવાની જડીબુટ્ટી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે યોજાતા કાર્યક્રમમાં આજે સમાજ શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ઉપરોક્ત વિષયમાં વધુ જણાવ્યું હતું કે ગીતાગ્રંથ જીવવાના તમામ પ્રશ્નોના જવાબો આપે છે. નિયમિત ગીતાજીનું પઠન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા ઉદારતાનો જ ઈતિહાસ લખાય છે. લાયકાત કેળવો તો જીવનમાં બધુ જ મળે છે. એ કુદરતનો નિયમ છે.

“જમનાબા ભવન” ખાતે સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ જી. પટેલની ઉપસ્થિતિમાં યોજયેલ ૩૯માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે જીવનમાં “પૈસા કરતા ચારિત્રનું મહત્વ વધુ છે.” “પદ અને પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે.” ચારિત્રને આપણે ખુબ માર્યાદિત અર્થમાં સમજીએ છીએ. સ્ત્રી-પુરુષ વચ્ચેનાં અનૈતિક સંબંધને માટે ચારિત્ર સમજીએ છીએ તે પુરતું નથી. ખરેખર ચારિત્ર એટલે જીવની, જીવન, આચરણ, સદાચાર અને આદર્શ જીવન એવો થાય છે. વ્યક્તિ તેના પૈસાથી નહિ જીવન વ્યવહારથી ઓળખાય છે. જીવન વ્યવહાર – આચરણ એટલે ચારિત્ર. દીકરીના સબંધ માટે દીકરીનો પરિવાર મુરતિયાની શિક્ષણ અને સંપતિ ઉપરાંત વધુ કંઈક જુએ છે. તેનો સ્વભાવ, વ્યવહાર અને વાણી વર્તન… આ બાબત તેનું ચારિત્ર છે. વિવેકપૂર્ણ જીવન હોય તો જ ચારિત્ર જન્મે છે. સદવિચાર, સમજણ અને સંસ્કાર ચારિત્રનું ધડતર કરે છે.


અમેરિકાથી પધારેલ શ્રી ચતુરભાઈ સભાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિચારોનું વાવેતર કાર્યક્રમ વર્તમાન સમયની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું અન્ય વ્યક્તિ તરફથી હંમેશા આદર રાખવો… તે જીવનનો સદગુણ છે. આ કાર્યક્રમમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસીયા, દાતા ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ ગરીમલીવાળા તથા મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરમસુખ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ૧૦૦ ના સભ્યોએ વ્યવસ્થા જાળવી હતી. હાર્દિક ચાંચડ અને ભાવેશભાઈ રફાળીયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Continue Reading

Previous: નિવૃત પ્રો.કોકીલાબને મજીઠીયાનું શહીદોના પરિવારો માટે ૭ લાખનું દાન
Next: આહાર, વિચાર અને આચરણ એ જીવનમાં સુખ:દુઃખનો આધાર છે..થર્સ-ડે થોટ્સ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.