Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • April
  • ‘વક્ફ બિલના કારણે અમાપ સત્તા ધરાવતી સંસ્થાઓ પર કંટ્રોલ આવ્યો’:સુરતમાં પાટીલે કહ્યું- સુધારા માટે હિન્દુઓ જ નહીં પારસી અને મુસ્લિમો પણ સહમત હતા
  • GUJARAT

‘વક્ફ બિલના કારણે અમાપ સત્તા ધરાવતી સંસ્થાઓ પર કંટ્રોલ આવ્યો’:સુરતમાં પાટીલે કહ્યું- સુધારા માટે હિન્દુઓ જ નહીં પારસી અને મુસ્લિમો પણ સહમત હતા

Real April 6, 2025
to9orm2f
Spread the love

સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ વકફ સુધારા બિલને લઇ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, વકફ સુધારા બિલને લઇ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો અને કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવા જરૂરી બની ગયું હતું. પાટીલે કહ્યું હતું કે, સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા. કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે એ માટે આ બિલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી
સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી

સુરત મનપાની જમીનના વિવાદનું ઉદાહરણ આપ્યું પાટીલે વધુમાં જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી લઇ વિવાદ સર્જાયો હતો. આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા આ કેસ જીતી હતી. પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો.

વિધાનસભા અને રાજ્યસભામાં થયેલી ચર્ચા બાદ કાયદો બન્યો વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં વ્યાપક ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં કુલ 12 કલાક જેટલી ચર્ચા ફાળવવામાં આવી હતી. બિલ પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાયું હતું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી વકફ સુધારા બિલ કાયદો બની ચૂક્યું છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કેનેડામાં સુરતના યુવકની હત્યા, મૃતદેહ વતનમાં લાવવાના પ્રયાસ શરૂ
Next: SDCAનો વિકાસ કોઇ એક વ્યક્તિને નહીં સમગ્ર સ્ટેડીયમ પેનલને આભારી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.