Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરી બિલ્ડરે બાંધેલી પાંચ માળની ઈમારત પર પાલિકાએ હથોડા ઝીંકાયા,
  • GUJARAT
  • INDIA

સુરતમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરી બિલ્ડરે બાંધેલી પાંચ માળની ઈમારત પર પાલિકાએ હથોડા ઝીંકાયા,

Real September 24, 2021
VID-20210924-WA0074.mp4_snapshot_00.00.369
Spread the love

સુરતના વડા ચૌટા ભાઈસાજીની પોળમાં ગેરકાયદેસર રીતે પાંચ માળની ઇમારત ઊભી કરી દેવામાં આવી હતી. જૂના કોટ વિસ્તારનો સમગ્ર ભાગ અશાંત ધારા હેઠળ આવે છે. અહીંના મુસ્લિમ બિરાદરે હિન્દુ પાસેથી જમીન લઈને પાંચ માળની ઇમારત ઊભી કરી દીધી હતી. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને બનાવ્યા હતાં. વડા ચૌટા જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત લડ્યા બાદ આજે આખરે ડિમોલેશનની કામગીરી શરૂ કરવાની ફરજ કોર્પોરેશનને પડી હતી.ચુસ્ત બંદોબસ્ત સાથે હાલ કામગીરી હાથ ધરવામાં આવી હતી

અશાંત ધારા અંતર્ગત હિન્દુની કોઈપણ મિલકત મુસ્લિમ ખરીદે અથવા તો મુસ્લિમ ની કોઈપણ મિલકત હિન્દુ ખરીદે તો જિલ્લા કલેક્ટર પાસે તબદીલી હુકમ લાવવાનો રહે છે. મુસ્લિમ બિલ્ડર દ્વારા કલેક્ટર પાસે તબદીલી હુકમ માટે અરજી તો કરાઈ હતી પરંતુ તેનો હુકમ આવે તે પહેલાં 2018માં પાંચ માળની ગેરકાયદેસર ઈમારત ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં જૈન સંઘ નીચે જમીન હતી તેના ઉપર પણ તેને ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું.

વડા ચૌટા જૈન સંઘ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ ઝડપથી આ બાબતે કામગીરી કરતા ન હતા, અને ખોટા ખોટા બહાના બતાવીને કામને ખોરંભે ચડ્યું હતું. સુરત કોર્પોરેશનના શહેરી વિભાગના અધિકારીઓ એટલા ભ્રષ્ટ છે કે, તેઓ સામાન્ય વ્યક્તિએ કરેલી અરજીનો કોઈ પણ પ્રકારે ગંભીરતાથી ઉકેલ લાવવામાં રસ દાખવતા નથી. વડા ચૌટા જૈન સંઘ દ્વારા આખરે હાઇકોર્ટમાં સમગ્ર મામલાને લઈને જઈને રજૂઆત કરતાં કોર્ટે આદેશ કર્યો હતો.

હાઈકોર્ટે કોર્પોરેશનને પૂછ્યું હતું કે, કેમ આ બિલ્ડિંગ ઉતારી પાડવામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ જવાબ આપ્યો કે, અમને પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી કામ પૂર્ણ થયું નથી. ત્યાર બાદ હાઇકોર્ટે પોલીસને બોલાતા પોલીસે કહ્યું કે, કોર્પોરેશન જ્યારે પણ માંગે ત્યારે અમે પૂર્ણ બંદોબસ્ત આપવા માટે તૈયાર છીએ.જેથી આજ સવારથી જ ગેરકાયદેસર ઈમારત ઉપર હથોડા ઝીંકવાનું શરૂ થયું હતું. જે દબાણ કરવામાં આવ્યું હતું.

Continue Reading

Previous: આ કારણોથી આપણા વડીલો દેશી ખાટલા પર સુ-તા સ્વા-સ્થ્ય-ને જે ફાયદા કરે છે એ 99% લોકો નથી જાણતા
Next: સુરતના ઘોડદોડ રોડ પર વરસતા વરસાદમાં સિટી બસમાં ભયંકર આગ લાગતાં મુસાફરોની ચિચિયારી, તમામનો આબાદ બચાવ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.