Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • કોરોનામાં અવસાન પામેલ વરાછાબેંકના ખાતેદારના પરિવારને રૂ. ૭.૪૨ લાખની રકમનો વિમા ચેક અર્પણ
  • BUSINESS
  • GUJARAT

કોરોનામાં અવસાન પામેલ વરાછાબેંકના ખાતેદારના પરિવારને રૂ. ૭.૪૨ લાખની રકમનો વિમા ચેક અર્પણ

Real October 21, 2021
VARACHHA BANK
Spread the love

દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી વરાછાબેંક બેન્કિંગ સેવાની સાથે સાથે વીમા સેવામાં પણ અગ્રેસર છે. બેન્કના તમામ ખાતેદારોને તેમણે વીમા સુરક્ષા કવચ હેઠળ આવરી લઈ તમામ ખાતેદારોના પરિવારોને સુરક્ષિત કર્યા છે.

કોરોનામાં અવસાન પામેલ બેંકના ખાતેદાર સ્વ. કિરીટભાઈ છગનભાઈ ડોબરીયા એ ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત લોન લીધી હતી. આ લોન સુરક્ષા માટે બેંક દ્વારા લેવડાવવામાં આવેલ વીમા પોલિસીથી ખાતેદારની બાકી રહેતી પૂરેપૂરી લોન કંપની દ્વારા ભરપાઈ થવા પામશે. ત્યારે વરાછા બેંક દ્વારા કરવામાં આવેલ આ નાનકડા પ્રયાસને લીધે પરિવાર પર લોન ભરપાઈ કરવાની જવાબદારી રહેતી નથી.

આ રીતે પ્રધાનમંત્રીશ્રીની તમામ બચત ખાતેદારો માટેની ખુબ જ સુંદર વીમા યોજનામાં પણ વરાછા બેંક દ્વારા ખુબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. બેંકના તમામ ખાતેદારો ને આ યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત બેંક દ્વારા કીરીટ ભાઇને આ અંગે જાગૃતિ આપીને તેઓની પાસેથી માત્ર, 330 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું. જેના બદલામાં આજરોજ પરિવારને રૂપિયા ૨ લાખ ની વીમા રકમ મળવાપાત્ર થઈ છે. આ સાથે કિરીટભાઈની બેંક દ્વારા એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની વીમા પોલિસી શરૂ હતી. જે અંતર્ગત તેઓને રૂ. ૩.૧૫ લાખની વીમા રકમ મળવાપાત્ર થઈ છે.

આમ, થોડી એવી વીમા અંગેની જાગૃતિ પરિવારને ખૂબ મદદરૂપ થતી હોય છે. ત્યારે વરાછા બેંક દ્વારા સતત વીમા અંગે જાગૃતિ ના અવનવા કાર્યક્રમો ના આયોજન થકી લોકો માં વીમા અંગે જાગૃતિ આવે એ માટે ના પ્રયાસો સતત થતાં રહે છે.

આજરોજ વરાછાબેંક ની યોગીચોક શાખા ખાતે વરાછાબેંકના બોર્ડ ઓફ મૅનેજમેન્ટના ચૅરમૅન શ્રી કાનજીભાઇ ભાલાળા, એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના શ્રી દિપકભાઈ ગજેરા તેમજ બેંકના ઈન્સ્યોરન્સ વિભાગના મેનેજરશ્રી ભરતભાઇ જોશી તેમજ યોગીચોક શાખા વિકાસ કમિટી સભ્યોના હસ્તે ખાતેદારના વારસદાર ગં.સ્વ. કૈલાશબેન કિરીટભાઈ ડોબરીયાને વીમા રકમ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો મુસાફરી સમય અને ખર્ચ ઘટશે
Next: સુરતમાં દિવાળીની સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ, જુવો વિડીઓમાં

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.