Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • ભારતની પરમાણુ સહેલીને માલવાવ ગામ ખાતે લેઉવા પટેલ સમાજના ૩૦૦૦ લોકો સાથે કર્યુ સેમિનારનું આયોજન.
  • AZAB-GAZAB
  • GUJARAT

ભારતની પરમાણુ સહેલીને માલવાવ ગામ ખાતે લેઉવા પટેલ સમાજના ૩૦૦૦ લોકો સાથે કર્યુ સેમિનારનું આયોજન.

Real June 8, 2022
WhatsApp Image 2022-06-08 at 3.31.41 PM (1)
Spread the love

સુરતના માલવાવ ગામ ખાતે લેઉવા પટેલ સમાજના સન્માન સમારોહ કાર્યક્રમમાં ડો. નિલમ ગોયલે સમાજનાં લગભગ ૩૦૦૦ લોકો સાથે પરમાણુ ઉર્જા વિષય ઉપર જાગૃતતા અભિયાન દરમ્યાન ભાવનગરમાં આવેલ મીઠીવીરડી પરમાણુ વિજઘર તેમજ સુરતમાં ૫૦૦-૫૦૦ મેગાવોટના સ્માર્ટ મોડયુલર રીએકટરની વિસ્તૃત જાણકારી આપી. પરમાણુ સહેલીએ જણાવ્યું કે આપણા દેશમાં પરમાણુ ઉર્જા બાબતે લોકોમાં સાચી જાણકારી નથી. સાથે આ વિષય બાબતે ઘણી ગેરસમજ છે. ડો.નિલમ ગોયલે જણાવ્યું કે પરમાણુ ઉર્જા બાબતે ઘણી ગેરસમજ તેમજ પરમાણુ ઉર્જાથી બહુ વિકીરણ નીકળે છે, તે સત્ય નથી. પ્રકૃતિથી જ આપણને દરરોજ ૨૪૦ મિલીરેમ રેડીએશન ડોઝ મળે છે, જે આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, સૂર્યના પ્રકાશમાં રહીએ છીએ, દુધ પીઈએ છીએ, ફળો ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ઘરમાં રહીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. ટેલીવીઝન જોઈએ છીએ, રેડીઓ સાંભળીએ છીએ, હવાઈ જહાજમાં યાત્રા કરીએ છીએ વિગેરે દરેક થી આપણને રેડીએશન મળે છે. એક વખત એકસ-રે કરાવવાથી ૨૦ મીલીરેમની રેડીએશન ડલઝ મળે છે. આ પ્રકારે એક વખત સીટી સ્કેન કરાવવાથી ૫૦૦૦ થી ૨૦૦૦૦ મીલીરેમની રેડીએશન ડોઝ મળે છે. પરમાણુ વિજ ઘરોની આસ પાસનાં ક્ષેત્રોમાં સામાન્ય જનતાને માત્ર ૨ મીલીરેમ ની રેડીએશન ડોઝ મળે છે જે સામાન્ય છે. પરમાણુ સહેલીએ જણાવ્યું કે, સામાન્યથી લઈને ખાસ લોકોમાં પરમાણુ

વિજઘર બાબતે વિવિધ માન્યતાઓ દુર કરીને સામાન્ય જનતામાં પરમાણુ ઉર્જા બાબતે સકારાત્મક વાતાવરણ બનાવવું પડશે. સેમીનારમાં ઉપસ્થિત દરેકે બહુ ઉડાણથી આ વિષય સમજયો તેમજ પરમાણુ સહેલીના આ પ્રયાસમાં એકજૂથ રહેવાનો વાયદો પણ કર્યો. દરેકે પ્રતિજ્ઞા લીધી કે પરમાણુ વિજ ઉત્પાદનની યોજના તેમના વિસ્તારમાં યા તો ગુજરાતમાં જયાં પણ આવશે તો તેમને સફળતાથી ચાલુ થાય તે માટે પોતે નૈતિક સમર્થન આપશે. આ સાથે કાર્યક્રમમાં પધારેલ અધ્યક્ષશ્રી નાનુભાઈ વાનાણી પૂર્વ શિક્ષા મંત્રી, ગુજરાતે પરમાણુ સહેલીના પ્રયાસોની સરાહના કરી અને કહયું કે પરમાણુ સહેલી ઘ્વારા આપવામાં આવેલ જાણકારી યોગ્ય અને સાચી છે અને તેનાથી ભાવનગરનો જ નહીં પરંતુ સમસ્ત ગુજરાત તેમજ સમસ્ત ભારતનો વિકાસ નિશ્ચિત છે,આપણે આ વિષયને સમજવો પડશે અને પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ ધ્વારા આ અભિયાનને લઈને સામાન્યથી લઈ ખાસ જનતા સુધી પહોંચાડી આપણા ક્ષેત્રમાં થઈ રહેલા પ્રદૂષણનો વધારો અને પ્રકૃતિની અસમતુલાને પણ આ રીતે સંભાળવી પડશે. કાર્યક્રમમાં પધારેલ યુવા સંગઠનના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ કે. માંયુકીયા, વાલાભાઈ જી. માંગુકીયા, હસમુખભાઈ બી. માંગુકીયા, ભરત એમ. માંગુકીયા, મનીષ કે. માંગુકીયા, ભિખભાઈ માંગકીયા, રવિભાઈ માંગુકીયા અને હરીશભાઈ માંગુકીયા વિગેરેની સાથે દરેક લોકોએ ભારતની પરમાણુ સહેલી ધ્વારા ચાલતા જન-જાગૃતતા અભિયાન કાર્યક્રમને દૃશ્યથી સમર્થન કર્યુ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રિક્ષા ચાલકોને ભાડું વધારવા રાજ્ય સરકારની મંજૂરી, મિનિમમ ભાડું વધીને રૂ.20 થશે
Next: સુરતમાં યોજાયેલ સાય્ક્લોથોનમાં સેવા આપનાર સિવિલ ડીફેન્સના વોર્ડનોનું આજે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.