Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • ખેરગામ તાલુકાની બસ સુવિધા વધારવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત
  • GUJARAT

ખેરગામ તાલુકાની બસ સુવિધા વધારવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત

Real June 27, 2022
WhatsApp Image 2022-06-27 at 7.57.59 PM
Spread the love

નવસારી ખાતે અતિથિગૃહના નવીનીકરણ લોકાર્પણ માટે પધારેલા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી ને નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે બે પત્રો આપી ખેરગામ તાલુકા ને લાંબા અંતરની બસ સુવિધા આપવા- 11 મુદ્દાની રજૂઆતો કરી હતી જેનો મંત્રી જીતુભાઈ ચૌધરી સંગાથે પૂર્ણેશભાઈએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.

ખેરગામ તાલુકાને સાત વર્ષના વહાણા વાયા છતાં આજદિન સુધી લાંબા અંતરની બસ સેવાનો લાભ આપવામાં આવ્યો નથી. વલસાડ વિભાગ અને નિગમના કેટલાક અધિકારીઓ ખેરગામ તાલુકાને માત્ર વાયા કરી આપીને સુવિધા આપી શકે તેમ હોવા છતાં અન્યાય કરી વંચિત રાખે છે. ધરમપુર ડેપોથી નવી શરૂ થતી બસ વાયા વલસાડના બદલે વાયા ખેરગામ ચીખલી કરવાની દસેક વર્ષ જૂની રજૂઆતને પણ વલસાડ વિભાગ દાદ આપતું નથી. હાલમાં જ શરૂ કરેલી ધરમપુર મહેસાણા સાંજની બસને પણ વાયા વલસાડ શરૂ કરી ખેરગામ ચીખલી તાલુકાને અન્યાય કર્યો છે. એસ.ટી.ના ૨૫ કિલોમીટર બચે ભાડું અને સમય ઘટે જો વાયા ખેરગામ કરાય તો! પરંતુ અધિકારીઓના મગજમાં ઊતરતું જ નથી. ખેરગામ તાલુકા ને વધારાની વાહન સુવિધા વગર માત્ર વાયા કરવાથી સાતેક બસનો લાભ સરળતાથી મળે તેવું છે જે માટે શ્રી ભીખુભાઈ આહિર પ્રમુખ. મંત્રીપૂર્ણેશભાઈનું અંગત ધ્યાન દોર્યું છે.
વધુમાં શ્રી ભીખુભાઈએ નર્મદા મૈયાબ્રિજ ભારે વાહનો માટે ભરૂચ કલેકટરે પ્રતિબંધિત કરેલો છે તેમાં પણ એસટીને મુક્તિ આપવા માટે રજૂઆત કરી એસ્ટીને રોજનું દોઢ બે લાખનું નુકસાન થતું અટકાવવા ધ્યાન દોર્યું હતું. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી સેવા ચાલુ રહે તો મુસાફરોનો સમય એસટીનું ડીઝલ, ટૉલકર,અંતર ઘટે.. વિગેરે અનેક ફાયદા થાય છે. એસટી પ્રવાસ ઝડપી સલામત બને છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઇજિપ્ત ખરીદશે ભારત પાસેથી 180,000 ટન ઘઉં
Next: રાનકુવા હાઇસ્કુલ ને જિલ્લા કક્ષાએ સ્વચ્છતા પુરસ્કાર એનાયત.

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.