
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલું આશાપુરા માતાનું મંદિર મિસ્ત્રી પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર હતું. સાયરસ મિસ્ત્રીના પરદાદાનો જન્મ વેસુમાં થયો હતો અને આ વિસ્તારમાં આવેલા આશાપુરા માતાના મંદિરે તેમના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા.
સાઈરસ મિસ્ત્રી પાસે પરદાદાએ લખેલી એક ડાયરી હતી જેને લઇને વર્ષ 2017માં તેઓ સુરતના વેસુ વિસ્તારમાં ખાનગી કાર્યક્રમ હેઠળ આવ્યા હતા. જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો અને તેમણે ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું હતું.