
મુંબઈ, તા. 10 માર્ચ 2023 શુક્રવાર
તાજેતરમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ પ્રોજેક્ટ કે ના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજા પહોંચી. જે બાદ તેમણે રવિવારે પોતાના બ્લોગમાં અકસ્માત બાદ પોતાની તબિયત વિશે અપડેટ આપી હતી. અભિનેતાએ ફરી એકવાર ગુરૂવારે ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી હતી.
એક્ટરે લખ્યુ, કોઈ ભૂતકાળમાં જાય છે અને ગુમાવેલી તક ઉપર રડી શકે છે અથવા ઉઠી શકે છે અથવા બીજીવાર પામી શકે છે અથવા હરાવી શકે છે. હા નુકસાન, પીડા દર્દનાક છે ખૂબ પરંતુ શરીર પર જેટલી ઝડપથી ઈજા પહોંચે છે તેટલી જ ઝડપથી સાજી થાય છે. તેમણે આગળ લખ્યુ, ઉઠો, આગળ વધો અને આને પ્રાપ્ત કરો, અહીં કોઈ દર્શન નથી, ના અહીં કોઈ વીરતાનો એવોર્ડ મળી રહ્યો છે અને પ્રશંસા અને ઈચ્છા માટે કામ કરવુ જરૂરી છે. જેમના માટે કાર્ય એક નવી શરૂઆત લાવે છે, તે પોતાના હિતમાં કરશે, પોતાને એક બોધપાઠ આપો, બીજાને ભણાવવા માટે રિફ્લેક્ટ કરવા માટે આ ફેક છે, એક જૂઠ છે જેને ત્યાગવાની જરૂર છે અને આ મારુ શરીર છે, મારુ મન છે, મારી ઈચ્છા છે.
સુકૂન અને શાંતિ માટે અમિતાભ બચ્ચને કરી આ વાત
એક્ટરે એ પણ જણાવ્યુ કે કેવી રીતે તેમણે જાણ્યુ કે શાંતિ અને સુકૂન શુ છે અને પોતાની ઉણપ પર કામ કરવાને લઈને વાત કરી છે. તેમણે લખ્યુ શરીરની પોતાની સીમાઓ, તમારા મસ્તિષ્કની સીમાઓ, હંમેશા જન્મના નિર્માણના રૂપમાં જળવાઈ રહેશે. આપણે આને તે સ્થિતિના રૂપમાં માનીએ છીએ જેને આપણે આપણા માટે બનાવીએ છીએ. અનવોન્ટેડ બાબતોમાં સામેલ થાવ અને સંશોધન કરવા માટે તૈયાર રહો. વોન્ટેડ બાબતોમાં સામેલ થાવ અને તરવા માટે ડૂબકી મારવા માટે તૈયાર રહો પરંતુ ત્યાં બધા માટે મે શાંતિ જોઈ નથી અમુક ઉણપ છે, અમુક બહાર છે પરંતુ મે પોતાના માટે બંને ઉણપથી છુટકારો મેળવવા માટે પોતાને મક્કમ કર્યો છે, શાંતિ અને સુકૂનને જાણ્યા નથી. જાહેરાત કરો અને હારી જાવ છો કેમ કે પૂરી થઈ નહીં. આ શરમજનક વિષય છે. હા પાડો પરંતુ પોતાને, હા પાડો પરંતુ પોતાના માટે.