Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • કોરોના મહામારીએ ફરી માથુંં ઊંચક્યું! 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026
  • INDIA

કોરોના મહામારીએ ફરી માથુંં ઊંચક્યું! 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026

Real March 22, 2023
c2nno2gf
Spread the love

દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી

દેશમાં કોરોનાનો રિકવરી રેટ હાલ 98.79 ટકા

દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ સ્વસ્થ થયા છે, આ સાથે કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,41,60,2794 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ કોરોના રસીના ડોઝ લીધા 

કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.79% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરાનાના 1,03,831 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં 92.05 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.65 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,673 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે કેસોમાં ધરખમ વધારો થયો છે.  દેશમાં ગઈકાલે કોરોનાના 699 નવા કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે છ રાજ્યોને પત્ર લખી સાવચેતી અંગે પગલા લેવા જાણ કરી

દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. છ રાજ્યોને લખેલા તેના પત્રમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વધુ સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. કેસોને વધતા રોકવા માટે સાવચેત અભિગમને અનુસરવાની જરૂર છે.

Continue Reading

Previous: કોલસાના ભાવમાં વધારાના સંકેત, કોલ ઈન્ડિયાના ચેરમેને કહ્યું – ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
Next: ગુજરાતી ક્રિકેટચાહકોને જલસા:માર્ચ એન્ડિંગમાં IPLની દે ધનાધન ક્રિકેટની ફટકાબાજી, ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપનો રોમાંચ

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.