Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • આવતીકાલે સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણશે:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાશે, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાશે, જાણો આખી સિસ્ટમ શું છે?
  • TECH

આવતીકાલે સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણશે:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાશે, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાશે, જાણો આખી સિસ્ટમ શું છે?

Real March 20, 2023
pgq3ipzr
Spread the love

સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવશે.

એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ શું છે?
આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો.

કુલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતા ઉતારવામાં આવશે
સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. આવતીકાલે સવારે 11 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન ડિમોલિશન કરવામાં આવશે.

30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો.

કુલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતા ઉતારવામાં આવશે
સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. આવતીકાલે સવારે 11 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન ડિમોલિશન કરવામાં આવશે.

શું તકેદારી લેવામાં આવી?
કુલિંગ ટાવર સિમેન્ટ કોંક્રિટના મટિરિયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવશે તેમજ ધૂળની ડમરીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં સર્જાશે. સિમેન્ટ કોંક્રિટની ધૂળની ડમરીઓ હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો આંખમાં પણ સિમેન્ટ કોંક્રિટના રજકણો જાય તો નુકસાન થઈ શકે છે. પાવર સ્ટેશન તરફથી આસપાસના વિસ્તારનો સર્વે કરી લેવામાં આવ્યો છે. લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો તેનાથી કોઈ પણ પ્રકારે ભયભીત ન થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે હિતાવહ રહેશે એ પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે. માસ્ક પહેરવાથી જે ડસ્ટ ઊડશે તે ડસ્ટ શ્વાસમાં ન જાય તેના માટે જરૂરી છે. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય તેના માટે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓની પણ હાજરી રહેશે. ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાંથી જ આયોજન કરી દેવાયું છે.

ઉત્રાણ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ આર આર પટેલ.

ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ કરી લેવાઇ
ઉત્રાણ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ આર આર પટેલ જણાવ્યું કે કુલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે. અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી છે. આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખી છે. 250 મીટર જેટલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી શકે છે. જેની ખાસ માહિતી સ્થાનિક લોકોને આપવામાં આવી છે. અમારી ટીમ દ્વારા વારંવાર સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી અને સર્વેમાં જે પણ બાબતોથી લોકોને જાગૃત કરી શકાય એવી તમામ માહિતી તેમને આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યાં હતાં.

ગુજરાતમાં કુલિંગ ટાવર ઉતારવાની આ બીજી ઘટના
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે કુલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યાં છે. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવશે. માત્ર 10થી 15 સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવર ઉતારી લેવાશે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવર ઉતારવામાં આવશે.

Continue Reading

Previous: ઈમરજન્સી હોય કે કુદરતી આફત, મોબાઈલ પર મળશે એલર્ટ, બ્રિટન કરશે સિસ્ટમનું પરીક્ષણ
Next: કોલસાના ભાવમાં વધારાના સંકેત, કોલ ઈન્ડિયાના ચેરમેને કહ્યું – ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.