
ભાજપને મોટી સંખ્યામાં મતદારોનું સમર્થન મળ્યું નથી
અમદાવાદ, 05 માર્ચ 2023, રવિવાર
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટના નેતા અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. તેમણે સવાલ કર્યો કે 60 ટકા મતદારોએ ભાજપને કેમ મોત નથી આપ્યા. લોકોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાની જરૂર છે.
ભાજપની બેઠકો ઘટી છે : માણિક સરકાર
પૂર્વ મુખ્યમંત્રી કહ્યું કે એક વાત બહુ સ્પષ્ટ છે કે ભાજપને મોટી સંખ્યામાં મતદારોનું સમર્થન મળ્યું નથી. ભાજપ વિરોધી મતો વહેંચાયેલા છે. હું કોઈ પક્ષનું નામ લઈશ નહીં. ગત વખતે તેમને 50 ટકાથી વધુ મત મળ્યા હતા પરંતુ હવે આ આંકડો ઘટીને 40 થઈ ગયો છે. તેમની બેઠકો પણ ઘટી છે. આ કેવી રીતે થયું? આ સવાલ વડાપ્રધાનને પૂછો. તેણે આરોપ લગાવ્યો કે મસલ પાવર, મની પાવર અને મીડિયાનો મોટો વર્ગ પણ તેની સાથે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર સંખ્યાત્મક બહુમતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ યોગ્ય નથી.
રાજ્યની આર્થિક સ્થિતિ ખૂભ જ ખરાબ
સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે એક રાજ્યની ધર્મનિરપેક્ષતાનો નાશ થયો છે. લઘુમતીઓ ગંભીર માનસિક દબાણ હેઠળ હતા. માતાઓ અને બહેનો સામેના ગુનાઓ વધી રહ્યા છે. બીજી તરફ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાં કોઈ કામ નથી, આવક નથી અને સામૂહિક ભૂખમરો છે. આદિવાસી વિસ્તારોમાં માતા-પિતા પોતાના બાળકોને વેચવા મજબૂર બની રહ્યા છે.