Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • April
  • SMC આખરે જાગી:સુરતમાં ડોગ બાઈટની ઘટના વધી, રખડતાં શ્વાનોના ખસીકરણ, રસીકરણ અને ઓપરેશનોની સંખ્યામાં વધારો
  • INDIA

SMC આખરે જાગી:સુરતમાં ડોગ બાઈટની ઘટના વધી, રખડતાં શ્વાનોના ખસીકરણ, રસીકરણ અને ઓપરેશનોની સંખ્યામાં વધારો

Real April 11, 2023
Spread the love

નપા દ્વારા રખડતાં કૂતરાઓને ઝડપી પાડવા અને રસીકરણ સહિતના ઓપરેશન કરવા માટેની કામગીરીમાં વધારો કરાયો

સુરત મહાનગરપાલિકામાં કૂતરા વડે બાળકો તેમજ અન્ય લોકોને કરડવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જે રીતે રમતા બાળકો ઉપર શ્વાનો હુમલો કરી રહ્યા છે તેને કારણે ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે, એક બાળકીનું મોત થયું છે. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરે છે.

DC સેન્ટરમાં વ્યવસ્થામાં વધારો
સુરત શહેરની અંદર રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. સમયાંતરે રખડતા કૂતરાઓ રાહદારીઓને કરડી લેતા હોય છે. હડકવા લાગી ગયેલા કૂતરાઓ પણ ખૂબ જ બેફામ રીતે શહેરભરમાં ફરતા હોય છે અને કરડતા હોય છે, જેને કારણે મોત થવાની પણ શક્યતા વધી જાય છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં DC સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં શ્વાનોની ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે તેમજ રખડતા કૂતરાઓને પાંજરામાં મૂકવા માટેની પણ વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

રોજના 65-70 ઓપરેશન કરાવવામાં આવી રહ્યા છે
સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવે વધુમાં વધુ કૂતરાઓને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ ખસીકરણ અને રસીકરણ માટે જે ઓપરેશન કરવામાં આવતા હોય છે, તેની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના DC સેન્ટરમાં રોજના માત્ર 30 થી 35 ઓપરેશનો કુતરાઓના કરવામાં આવતા હતા પરંતુ, હવે તેની સંખ્યા વધારીને 65 થી 70 રોજ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કુતરા કરડવાની જે ઘટના બની રહી છે તેના ઉપર નિયંત્રણ લાવી શકાય.

દરેક ઝોનમાં ટીમ કામે લાગી
એડિશનલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાજેશ ગેલાણીએ જણાવ્યું કે, DC સેન્ટરમાં કૂતરાઓને રાખવા માટે પહેલા સુરત મહાનગરપાલિકા પાસે કુલ 42 જેટલા પાંજરા હતા, જેને વધારીને હવે કુલ 97 જેટલા પાંજરા કરવામાં આવ્યા છે, જેને કારણે હવે DC સેન્ટરમાં કૂતરાઓ રાખવામની ક્ષમતાઓ પણ વધી છે. પહેલા 432 જેટલા કુતરાઓ રાખી શકાતા હતા પરંતુ, હવે 522 કરતા વધુ કુતરાઓને રાખી શકશે. પહેલા બે ડોક્ટરોની ટીમ હતી પરંતુ, હવે તેની સંખ્યા વધારીને બમણી કરી દેવામાં આવે છે, હવે ચાર ડોક્ટરો દ્વારા રોજના પહેલા 30 થી 35 ઓપરેશન કરવામાં આવતા હતા તેને બદલે ખસીકરણ અને રસીકરણના કુલ 65 થી 70 જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. દરેક ઝોનમાંની કુતરા પકડવા માટેની ટીમ કાર્યરત છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સોનિયા ગાંધીએ રાહુલને અયોગ્ય ઠેરવવાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું ‘સરકાર લોકતંત્રને ખતમ કરી રહી છે
Next: સરકારી શિક્ષણ-વ્યવસ્થાને ખતમ કરતો અને શિક્ષણનું ખાનગીકરણને ઉત્તેજન આપતા ‘જ્ઞાનસેતુ પ્રોજેક્ટ’ : વિપક્ષ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.