Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • November
  • કોઈના જેવું ક્યારેય બની શકાતુ નથી ખુદની ઓળખ બનાવો. કાનજીભાઈ આર. ભાલાળા
  • BUSINESS
  • ENTERTAINMENT

કોઈના જેવું ક્યારેય બની શકાતુ નથી ખુદની ઓળખ બનાવો. કાનજીભાઈ આર. ભાલાળા

Real November 30, 2023
WhatsApp Image 2023-11-30 at 3.42.12 PM (1)
Spread the love

દરેક વ્યક્તિ અજોડ છે. દરેકની પ્રકૃતિ સ્વભાવ, માન્યતા અને વર્તન જુદા-જુદા હોય છે. તેમના વ્યક્તિત્વના વિકાસ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે થર્સ- ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૩૭માં થર્સ-ડે થોટ્સમાં નવો વિચાર રજુ કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કોઈના જેવું ક્યારેય બની શકાતું નથી. પોતાની ઓળખ બનાવો, તમે… તમે તરીકે જીવો તે ખરી સફળતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટે ભાગે માણસને બીજાના જેવુ બનવું છે. અને બીજા જેવું જીવવું છે. માટે દુઃખી થાય છે. પૃથ્વી પર અંદાજે ૮૦૦ અબજની વસ્તીમાં એક સરખા બે વ્યક્તિ કદી હોય જ ન શકે… ત્યારે આપણે બીજા જેવા બનવા નિરર્થક પ્રયાસ કરીએ છીએ. આપણે જેવા છીએ તેવા બનવા સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.

૩૬માં થર્સ-ડે થોટ્સમાં રજુ થયેલ વિચારને ફરી રજુ કરતા શ્રી રાજુભાઈ ગૌદાણીએ જણાવ્યું હતું કે કૃતજ્ઞતા જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે. આ પ્રસંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પોતાની સફળતામાં કૃતજ્ઞતાની ચમત્કારિક અસર છે. દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ બનવાની શક્તિ હોય જ છે. તેને વિકસાવવી જોઈએ. તે માટે હકારાત્મક વિચારથી કરેલા સંકલ્પો હંમેશા સાકાર થાય છે. વ્યક્તિ તેના વિચારથી જ જુદા પડે છે. નવી ઓળખાણ મળે છે. આ પ્રસંગે કમલેશભાઈ ગજેરા, દક્ષાબેન પટેલ તથા જયશ્રીબેન ભાલાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના દાતા ટ્રસ્ટીશ્રી મુકેશભાઈ બાબુભાઈ ચોવટિયાનામાતૃશ્રી સમજુબેનનું ગત તા. ૨૦/૧૧/૨૦૨૩ના રોજ દેહ અવસાન થયેલ છે. તેમણે માત્રટેલીફોનીક બેસણું રાખી સમજણ અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વધુમાં પોતાના
માતૃશ્રીની સ્મૃતિમાં કિરણ મહિલા ભવનમાં એક ઓરડા માટે રૂપિયા ૭.૫૦ લાખના દાનનોસંકલ્પ કરી જનતા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મુકેશભાઈ તથા શ્રીમતીસોનલબેન ચોવટિયાનું અભિવાદન કર્યું હતું. વિચારોના વાવેતર કાર્યક્રમથી નવી સામાજિકક્રાંતિના મંડાણ થયા છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી યોજાતા થર્સ-ડે થોટ્સકાર્યક્રમની વ્યવસ્થા ટીમ ૧૦૦ના સભ્યો સંભાળે છે. શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કાર્યક્રમનું સંકલન કરતા જણાવ્યું હતું કે તમારી કોઈ નકલ કરે તો સમજવું કે તમે કંઇક છો.

Continue Reading

Previous: વર્તમાન સમયે માનસિક તણાવ ને રોકવાની જરૂર છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ
Next: દિવ્યાંગ છતા અજોડ ઉત્તમ મારૂ એ લોકોને જીવવાની પ્રેરણા પૂરી પાડી.-થર્સ-ડે થોટ્સ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.