Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • ઝારખંડ: સગીરાઓની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, ધારા 144 લાગુ કરાઈ
  • GUJARAT

ઝારખંડ: સગીરાઓની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, ધારા 144 લાગુ કરાઈ

Real September 5, 2022 1 minute read
virodh jarkhand
Spread the love

ઝારખંડમાં સગીર વિદ્યાર્થીની અંકિતા અને એક આદિવાસી છોકરીની હત્યાના વિરોધમાં આજે દુમકા જિલ્લા સહિત સમગ્ર સંથાલ ક્ષેત્રમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભિન્ન આદિવાસી સંગઠનેની સાથે-સાથે હિન્દુ સંગઠનોએ સવારથી જ રસ્તા પર ઉતરી બધુ બંધ કરાવ્યું હતું. આ સાથે તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેનનું પૂતળું પણ બાળ્યું હતું. આ સંગઠનોએ મુખ્યમંત્રી સોરેન અને રાજ્ય સરકાર પર એક વિશેષ સમુદાયને સરંક્ષણ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. બીજી તરફ તંત્રએ ક્ષેત્રમાં ધારા 144 લાગુ કરી દીધી છે.

બીજી તરફ આ મામલે ભાજપના ધારાસભ્ય દળના નેતા બાબૂલાલ મરાંડીએ NIA પર તપાસ કરાવાની માંગ કરી છે. છેલ્લા દિવસોમાં જ્યારે બીજેપી સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને કપિલ મિશ્રા સગીર વિદ્યાર્થીની અંકિતાના પરિવારજનોને મળવા ગયા હતા ત્યારે પણ તેમણે એક વિશેષ સમુદાય સાથે સબંધ રાખનાર આરોપી નઈમનો PFI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનો સાથે સબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુમકા જિલ્લા સહિત સંથાલ વિસ્તારમાં લવ જેહાદના નામે ધર્મ પરિવર્તનનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તે સમયે પણ સાંસદો સહિત ભાજપના તમામ નેતાઓએ NIA દ્વારા તપાસની માંગ કરી હતી.

સગીર વિદ્યાર્થીની અંકિતાને જીવતી સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો પણ નહોતો થયો ત્યારે એક સગીર આદિવાસી છોકરીનું રેપ બાદ હત્યા કરીને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દુમકામાં લોકોનો સરકાર અને પોલીસ વિરુદ્ધ આક્રોશ વધી ગયો છે. આ ઘટનાને લઈને આદિવાસી અને હિન્દુ સંગઠનો વચ્ચે ખૂબ જ નારાજગી છે. તેમણે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રસ્તા પર ઉતરી મુખ્યમંત્રી હેમંત સોરેનનું પુતળું સળગાવ્યું હતું અને પોલીસ તંત્રના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: CBI અધિકારી પર મારા વિરૂદ્ધ કેસ દાખલ કરવાનું દબાણ હોવાથી તેણે આત્મહત્યા કરીઃ સિસોદિયા
Next: સાયરસ મિસ્ત્રી અને મિસ્ત્રી પરિવાર માટે વેસુના આશાપુરી માતજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.