Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • સુરત એરપોર્ટની સુવિધામાં વધારો:એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ, બિલ્ડિંગ બન્યા બાદ દર કલાકે 1800 મુસાફરોની અવરજવર થશે
  • ENTERTAINMENT
  • GUJARAT

સુરત એરપોર્ટની સુવિધામાં વધારો:એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ, બિલ્ડિંગ બન્યા બાદ દર કલાકે 1800 મુસાફરોની અવરજવર થશે

Real May 18, 2023
q5ubrlz4
Spread the love

સુરત એરપોર્ટ પર સુવિધામાં વધારો થવાની શરૂઆત નજીકના દિવસોમાં જ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સુરત એરપોર્ટના વિકાસ માટેના કાર્યો ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક અને કેનોપી સહિતના કાર્યોમાં પ્રગતિ થઇ છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી છે.

વિકાસ કાર્યો માટે 353.25 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટ પર થઇ રહેલા વિકાસકાર્યો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટર્મિનલ બિલ્ડિંગ, એપ્રોન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિતના વિકાસ કાર્યો માટે 353.25 કરોડ રૂપિયાના ખર્ચે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

તમામ કામગીરી ઝડપથી પ્રગતિમાં
138.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ટર્મિનલ બિલ્ડિંગનું કામ ફાઇનલ તબક્કા પર છે જે 94 ટકા સુધી પૂર્ણ થયું છે. એપ્રોન વિસ્તૃતીકરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ 63.13 કરોડના ખર્ચે થશે, તેમાં 72 ટકા સુધીનું કામ પૂર્ણ થયું છે. 15.57 કરોડ રૂપિયાના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ સામે કેનોપીનું કામ પણ ઝડપથી પ્રગતિમાં છે.

દર કલાકે મુસાફરો રોકાવાની ક્ષમતા 1800 સુધીની થઇ જશે
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ટર્મિનલ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા પછી ત્યાં દર કલાકે મુસાફરો રોકાવાની ક્ષમતા 1800 સુધીની થઇ જશે. તે સિવાય પાંચ એરોબ્રિજ અને 5 કેસ્યુઝલ સહિતની સુવિધાઓ યાત્રીઓને મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટ પરથી હાલ જે શહેરો માટે ફ્લાઇટ ઉડાન ભરી રહી છે તેના સિવાય પણ કેટલાક શહેરો માટે ફ્લાઇટની માંગણી કરવામાં આવી રહી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારી સાથે ઠગાઈ:સરથાણાના વેપારીના 94 લાખની ક્રેડિટ રિબેટમાંથી અજાણ્યા ઠગે 54.25 લાખ સેરવી લીધા, સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
Next: એકસાથે બે સગી બહેનોનાં મોત:સુરતના હજીરામાં ઘરેથી રમવા ગયેલી બાળકીઓ તળાવમાં ડૂબી, દીકરીઓનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.