Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ગરૂડ પુરાણ મુજબ સવારે 8 વાગ્યા પછી નહાવાથી આવું થાય છે જાણો નહાવાનો શુભ સમય…..
  • AZAB-GAZAB

ગરૂડ પુરાણ મુજબ સવારે 8 વાગ્યા પછી નહાવાથી આવું થાય છે જાણો નહાવાનો શુભ સમય…..

Real September 30, 2021 1 minute read
8vagyapachinahvu
Spread the love

સવારે સ્નાન કરવું એ દરેક વ્યક્તિની દિનચર્યાનો એક ભાગ હોય છે. સવારનું સ્નાન અસીમ સુખ આપનાર હોય છે. રાત્રે મનમાં આવેલા વિકારોથી શરીર અશુદ્ધ થઈ ગયું હોય છે તેથી સવારે જાગી અને સૌથી પહેલાં સ્નાન કરવાનું વિધાન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.

પરંતુ સમય સાથે લોકોની આદતોમાં પણ ફેરફાર થયા છે અને સ્નાન કરવાનો સમય અને વિધિનું મહત્વ પણ ભુલાઈ ગયું છે.

વર્તમાન સમયમાં લોકો સવારે ચા-નાસ્તો કરી પેટ ભરીને નહાવા જાય છે. શાસ્ત્રો અનુસાર આ રીત તદ્દન ખોટી છે. આજે જાણી લો સ્નાનનું શું છે મહત્વ અને કેવી સ્નાન ઉત્તમ ફળ આપે છે. નિયમિત રીતે સૂર્યોદય સમયે પથારીનો ત્યાગ કરી સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ.

નહાવાના પાણીમાં કાળા તલ ઉમેરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.

સ્નાન કરતી વખતે સૌથી પહેલાં પાણી માથા પર નાંખવું જોઈએ. આમ કરવાથી શરીરના ઉપરના ભાગની બધી જ ગરમી પગના માધ્યમથી બહાર નીકળી જાય છે. શાસ્ત્રોક્ત મહત્વ સાથે આયુર્વેદમાં પણ સ્નાનના અનેક પ્રકાર અને લાભ વિશે જણાવાયું છે.

શરીરને સ્વચ્છ કરવાની સાથે સ્નાનથી મન પણ પ્રફુલ્લિત થાય છે અને થાક ઉતરી જાય છે. નિયમિત સ્નાન નિરોગી કાયા અને ચમકતી ત્વચા માટે જરૂરી છે. શુભફળની પ્રાપ્તિ કરવા માટે સૂર્યોદય પહેલાં નહાવું જોઈએ. આ સ્નાન કરનાર અલક્ષ્મીથી મુક્ત થાય છે અને બુદ્ધિવાન બને છે.સ્નાન કરતી વખતે ગુરુ મંત્ર અચૂક બોલવો. હવે જાણો કેટલા છે સ્નાનના પ્રકાર અને તેનાથી કેવા લાભ થાય છે.

બ્રહ્મ સ્નાન

સવારે લગભગ 4થી 5 વાગ્યા સુધીમાં ભગવાનનું નામ લેતાં લેતાં સ્નાન કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. આ રીતે સ્નાન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.

દેવ સ્નાન

સૂર્યોદય પછી સ્નાન કરનારને વિવિધ નદિઓના નામ લેતાં લેતાં સ્નાન કરવું જોઈએ. આ સ્નાનને દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સ્નાન જીવનની ચિંતાઓને દૂર કરે છે.

દાનવ સ્નાન

ચા-નાસ્તો કર્યા પછી સ્નાન કરવામાં આવે તેને દાનવ સ્નાન કહેવાય છે. આ રીતનું અનુકરણ જે વ્યક્તિ કરે છે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે.

યૌગિક સ્નાન

યોગના માધ્યમથી પોતાના ઈષ્ટદેવનું ચિંતન અને ધ્યાન કરી અને સ્નાન કરવામાં આવે તેને યૌગિક સ્નાન કહેવાય છે. યૌગિક સ્નાનને આત્મતીર્થ પણ કહેવાય છે. કારણ કે આ રીતે સ્નાન કરવાથી તીર્થ યાત્રામાં સ્નાન કર્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ: ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધસી પડતા દંપતી સવારે ઉઠ્યું જ નઈ
Next: સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ડભોલીમાં ભૂવો પડતાં બસ ફસાઈ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.