Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ગણેશ વિસર્જનનો તખ્તો તૈયાર : જાણો કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.
  • AZAB-GAZAB
  • GUJARAT

સુરતમાં ગણેશ વિસર્જનનો તખ્તો તૈયાર : જાણો કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.

Real September 18, 2021
su2409ca_1-m
Spread the love

સુરત: આવતી કાલે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ નું વિસર્જન કરવા શહેર ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે.

આ સંજોગોમાં ટ્રાફિક  નિયમન સરળતાથી થાય, કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય એ માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તે મુજબ તા.19/09/2021ના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારે 7 કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજમાર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. તેમજ પ્રતિબંધ મૂકવામાં આવેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગેથી પસાર થશે.

કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.

રાજમાર્ગ પર સ્ટેશનથી ચોકબજાર સુધીનો ટ્રાફિક દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેશન, ફાલસાવાડી સર્કલ, રિંગ રોડ થઇ જશે. રાજમાર્ગ ઉપર ખૂલતી ગલીઓનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ તથા ચૌટાબજાર બ્રિજ નીચેથી બંને તરફ જઇ શકશે. અન્ય વાહનો સરદાર બ્રિજ તથા જીલાણી બ્રિજનો ઉપયોગ કરી શકશે. તથા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગ રોડ તરફ જઇ શકશે. મકાઇ પુલ તથા સરદાર બ્રિજ  જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગ રોડ તરફ જઇ શકશે. કાંસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ તથા રિંગ રોડ તરફ જઇ શકશે. આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચૌટાપુલ નીચે થઇ નાણાવટ થઇ મુગલીસરા તરફ જશે.

સચિન સુડા આવાસ માર્ગનો ટ્રાફિક તુલસી હોટેલ સચિનથી નવસારી રોડ તરફ ડાયવર્ટ કરાશે. ભગવાન નગર સરથાણા જકાતનાકા તરફના બંધ માર્ગનો ટ્રાફિક લટુરિયા રોડથી સીમાડા રોડ થઈ વીટીનગર થઈ નવજીવન સર્કલ તરફ જશે. સિંગણપોર ચાર રસ્તાનાં વાહનો કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે. પંડોલ. ફૂલવાડીનો ટ્રાફિક જીલાની બ્રિજ થઈ જશે. ગજેરા સર્કલથી લંકા ઓવારા સુધીનો ટ્રાફિક મેઈન રોડ થઈ ડાયવર્ટ કરાશે.

Continue Reading

Previous: સુરતમાં આજે થયું રેકોર્ડતોડ વેક્સીનેશન, 1 લાખ 75 હજાર સુરતીઓને વેક્સીન મૂકાઇ
Next: સ્ત્રી પુરુષોએ રા તના સમયે આ 4 કામ ના કરવા જોઇએ ઘરમાં બ-ર-બા-દી આવી શકે છે

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.