Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ભાદરવા સુદ પૂનમ થી અમાસ સુધી શ્રાદ્વ પક્ષમાં શુ કરવું? જાણો ફળ તથા માહિતી
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

ભાદરવા સુદ પૂનમ થી અમાસ સુધી શ્રાદ્વ પક્ષમાં શુ કરવું? જાણો ફળ તથા માહિતી

Real September 20, 2021 1 minute read
shardh
Spread the love

આપણું પાલન કરવા માટે તન, મન અને ધનથી વિશેષ પ્રયત્નો કર્યા તે તમામ પૂર્વજો લોકભાષામાં પિતૃઓ ગણાય. વિભિન્ન યોનિમાં પિતૃ શબ્દ દેવલોકમાં રહેનારા પિતૃઓ માટે લક્ષણાથી લેવાનો છે. પિતા-પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટિના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને માફ્ કરીને કલ્યાણની શુભ આશિષ આપનારા છે. આ પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને સ્મૃતિઓ વાગોળવા માટે ખાસ દિવસોનું આયોજન એટલે ભાદરવાનો પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષ.

શ્રાદ્ધ પક્ષમાં ખગોળીય-પંચાંગ જ્યોતિષનું મહત્વ

સૂર્યના સાયન મકરથી મિથુન સુધીના છ રાશિના ભ્રમણને (22 ડિસેમ્બરથી 21 જૂન) ઉત્તરાયન કહે છે. સૂર્યના સાયન કર્કથી ધનુ સુધીના છ રાશિના ભ્રમણને (22 જૂનથી 21 ડિસેમ્બર) દક્ષિણાયન કહે છે. શ્રાદ્ધ પક્ષ હંમેશાં દક્ષિણાયનમાં આવે છે. આથી જ કોઇ સંજોગવશાત્ ભાદરવા વદમાં શ્રાદ્ધકર્મ ન થઇ શક્યું હોય તો સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સુધી એટલે કે તા. 14 નવેમ્બર સુધી યોગ્ય સમયે શ્રાદ્ધક્રિયા કરી શકાય છે. કારતક માસમાં તા. 14 નવેમ્બર પહેલાં લગ્ન, જનોઇ, વાસ્તુપ્રવેશ જેવાં મુહૂર્તો આપવાની પ્રથા નથી.

શ્રાદ્ધ પક્ષની તિથિઓ કઈ રીતે ગણવી?

શ્રાદ્ધ પક્ષની તિથિઓ માટે ધર્મશાસ્ત્રમાં અમુક પ્રકારનો શાસ્ત્રાર્થ નિશ્ચિત થયેલો છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમયગાળો એટલે દિનમાન. આ દિનમાનના ચાર સરખા ભાગ કરીએ તો ત્રીજા ભાગમાં મૃત્યુતિથિ જે દિવસે મળે તે દિવસે જે તે શ્રાદ્ધતિથિ લેવાય છે.આથી માત્ર સૂર્યોદય સમયે ચાલતી આમાં હંમેશાં કામ આવતી નથી. વળી અમુક તિથિના દિવસે ખાસ પ્રકારના વિશેષ શ્રાદ્ધના દિવસો લેવાની શાસ્ત્રીય પરંપરા છે. આમ છતાં વડીલવર્ગ અને પિતૃઓ પ્રત્યે સાચી લાગણી બતાવવાના શુદ્ધ આશયથી શ્રાદ્ધ થતું હોય છે.

શ્રાદ્ધ ક્યારે ન કરવું

વહેલી સવારે, સૂર્યોદય સમયે, સંધ્યા સમયે કે રાત્રિના સમયે શ્રાદ્ધ કદાપિ કરવું નહીં. શ્રાદ્ધના ભોજનમાં લસણ, ડુંગળી, કંદમૂળ (ગાજર-મૂળા વગેરે) ન હોવા જોઇએ.શ્રાદ્ધમાં તીખા- તળેલા, મરી-મસાલાથી ભરપૂર વ્યંજન-વાનગી ઇચ્છનીય નથી. શ્રાદ્ધ પક્ષ ભાદરવા માસમાં આવતો હોવાથી આરોગ્ય અને આયુર્વેદની દૃષ્ટિએ ઉપયોગી એવાં શુદ્ધ દૂધ, ખીર, દૂધપાકની વાનગી હોય તે વધુ આવકાર્ય છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સિસ્ટમની સામે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન હારી ગયો , કહ્યું તમામ મેડલ પાછા લઇ લો પણ મને કામ કરવા દો
Next: ઘરમાં ભૂલથી પણ ના રાખો આ દિશામાં અરીસો નહીતર પરિવાર થઇ જશે બરબાદ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.