
સુરત શહેરમાં આજથી શંકાસ્પદ કોરોનામાં જેમના મૃત્યુ થયા હતા. તેમના કુંટુબીજનોને સહાય મળે તે માટે જે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ ઇસ્યુ કરવા માટે આજથી ફોર્મ વિતરણ થતા પ્રથમ દિવસે સુરત શહેરમાંથી 151 અને ગ્રામીણમાંથી 27 ફોર્મ લઇ જવાયા હતા. જયારે આજે પણ સેન્ટરો પરથી લોકો મોટી સંખ્યામાં ફોર્મ લઇ ગયા હતા.
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ કોરોનામાં જેમના મૃત્યુ થયા છે. તેમના વારસદારોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય આપવાનો આદેશ કરાયો છે. આ આદેશના પગલે જેમનું શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ થયુ છે. તેમના સ્વજનોને પણ સહાય મળી રહે તે માટે એક કમિટી બનાવાઇ છે. આ કમિટી જેઓ પણ ફોર્મ ભરશે. તેમને મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે .અને આ સર્ટિફિકેટના આધારે જ જેમના શંકાસ્પદ મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને સહાય મળશે. આ માટે આજથી સુરતના અઠવાલાઇન્સ ડિઝાસ્ટર ખાતેથી ફોર્મનું વિતરણ શરૃ કરાયુ હતુ .સવારની શરૃઆતમાં થોડી લાઇનો રહ્યા બાદ એકલ-દોકલ ફોર્મ લઇ જતા નજરે પડયા હતા. દિવસ દરમ્યાન સુરત શહેરમાંથી 151 અને ગ્રામીણ વિસ્તારમાંથી 27 મળીને કુલ્લે 178 ફોર્મ લઇ જવાયા હતા. જયારે આજે પણ સેન્ટરો પરથી લોકો મોટી સંખ્યામાં ફોર્મ લઇ ગયા હતા.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network