
સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.
ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આંદોલન તાત્કાલિક પાછુ નહીં ખેંચાય.અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં નવા કાયદા રદ કરવામાં આવે.
દરમિયાન ખેડૂત સંગઠને કહ્યુ છે કે, ખેડૂતોનુ આંદોલન માત્ર ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા માટે નહોતુ પણ સાથે સાથે તમામ કૃષિ પેદાશો માટે એમએસપીની ગેરંટી આપવા માટે પણ હતુ.ખેડૂતોની મહત્વની માંગણી હજી બાકી છે.સંયુક્ત કિસાન મોરચા તમામ સ્થિતિ પર નજર રાખશે અને બહુ જલ્દી પોતાની બેઠક બોલાવીને આગળના નિર્ણયોની જાહેરાત કરશે.
દરમિયાન રાકેશ ટિકેતે એમ પણ કહ્યુ છે કે, ખેડૂતો માટે હજી એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ પર કમિટી બનાવવાના મુદ્દે અને ખેડૂતો માટે વીજળી પૂરી પાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત થવાની બાકી છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network