Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • પંજાબમાં AAP સરકારે વચન નિભાવ્યું: બજેટમાં 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત, સરકારી તિજોરીને રૂ. 5000 કરોડનો ફટકો પડશે
  • AZAB-GAZAB
  • BUSINESS
  • ENTERTAINMENT
  • INDIA

પંજાબમાં AAP સરકારે વચન નિભાવ્યું: બજેટમાં 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત, સરકારી તિજોરીને રૂ. 5000 કરોડનો ફટકો પડશે

Real June 27, 2022
content_image_fe588cd1-a33b-4e4a-9724-d0a73d88dcd9
Spread the love

પંજાબમાં સોમવારે આમ આદમી પાર્ટીની સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે અન્ય જાહેરાતો સાથે બજેટના માધ્યમથી પોતાના ચૂંટણી ઢંઢેરા નિભાવવાનું વચન પાળ્યું છે. નાણામંત્રી હરપાલ ચીમાએ બજેટ રજૂ કરતી વખતે મફત વીજળીના વચનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે 1 જૂલાઈથી તમામ ઘરોમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી હરપાલ ચીમાએ આજે 1.55 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ મફત વીજળીની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે સરકાર પોતાની પ્રથમ ગેરંટી પૂરી કરવા જઈ રહી છે.

મુખ્યમંત્રી ભગવંત માને એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે, પંજાબ સરકાર 1 જૂલાઈથી રાજ્યના દરેક ઘરેલું વીજળી ઉપભોક્તાને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે. દિલ્હી બાદ પંજાબ બીજું રાજ્ય છે જ્યા આમ આદમી પાર્ટી મફત વીજળી આપી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન મફત વીજળી એ પાર્ટીના મુખ્ય વચનોમાંથી એક હતું. પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જૂનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વચન આપ્યું હતું.

‘આપ’ના ધારાસભ્ય અમન અરોરાએ જણાવ્યું હતું કે મફત વીજળી માટે પણ કેટલીક શરતો રહેશે. જો કોઈ ઉપભોક્તા બે મહિનામાં 600 યુનિટથી વધારે વીજળીનો ખર્ચ કરશે, તો તેણે વીજળીની સંપૂર્ણ રકમ ચુકવવી પડશે. પંજાબમાં દર બે મહિને વીજળીનું બિલ આવે છે. ત્યારબાદ મુખ્યમંત્રી માને કહ્યું કે અનુસુચિત જાતિ, સ્વતંત્રતા સેનાની અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને છૂટ મળશે. તેઓ 2 મહિનામાં 600 યુનિટથી વધારે વીજળીનો ખર્ચ કરશે તો તેમને માત્ર તેના જ પૈસા આપવા પડશે. એટલે કે, જો તેઓ 640 યુનિટ વાપરશે તો તેમને માત્ર 40 યુનિટના જ પૈસા ચૂકવવા પડશે.

મુખ્યમંત્રી ભગવંત માને એમ પણ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઉપભોક્તાઓ માટે વીજળીના દરમાં વધારો કરવામાં આવશે નહી. કૃષિ માટે પણ મફત વીજળી ચાલુ રહેશે. મફત વીજળીની આ યોજનાના કારણે સરકાર ઉપર 5000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે. તેમ છતા સરકારે કહ્યું હતું કે તે સામાન્ય લોકો ઉપર અન્ય ટેક્સ મારફતે વધારાનો બોજ નહીં નાખે. બજેટમાં સરકારે નવો કર ન લાદીને પોતાનું વચન પૂરુ કર્યું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિંહાનું નામાંકન, રાહુલ ગાંધી રહ્યા હાજર
Next: SCએ શિવસેનાના બાગીઓને અયોગ્યતા નોટિસના જવાબ માટે આપ્યો 14 દિવસનો સમય

Related Stories

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.