Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • RSSએ કહ્યું- પાકિસ્તાનને 10-20 ટન ઘઉં મોકલી દો:સંઘના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે કહ્યું- ભારત પાડોશી ધર્મ નિભાવે
  • WORLD

RSSએ કહ્યું- પાકિસ્તાનને 10-20 ટન ઘઉં મોકલી દો:સંઘના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે કહ્યું- ભારત પાડોશી ધર્મ નિભાવે

Real February 24, 2023
ipdvzbi0
Spread the love

સંઘના સહ સરકાર્યવાહક ડો.કૃષ્ણ ગોપાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

કંગાળ થયેલા પાકિસ્તાનની આર્થિક તંગી બાબતે સંઘે સરકારને પાડોશી ધર્મ નિભાવવા માટેની સલાહ આપી છે. સંઘના સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ દરમિયાન ભારત તેમને 10-20 ટન ઘઉં મોકલી શકે છે. ડો. કૃષ્ણ ગોપાલ ફિલ્મ પ્રોડ્યુસ ઈકબાલ દુર્રાનીના દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે સંઘના ઈન્દ્રેશ કુમાર પણ હાજર હતા.

પાકિસ્તાનની સ્થિતિ પર સંઘ સહ સરકાર્યવાહકે જણાવી 3 વાત…

1. 70 વર્ષ પહેલાં આપણી સાથે જ હતા

કૃષ્ણ ગોપાલે કહ્યું- પાકિસ્તાનમાં લોટનો ભાવ 250 રૂપિયે કિલો થઈ ગયો છે. અમને દુઃખ થાય છે. આપણે તેમને લોટ મોકલી શકીએ છીએ. ભારત 25-50 ટન ઘઉં તેમને આપી શકે છે. તેઓ માગી શકતા નથી. ગોપાલે વધુમાં કહ્યું હતું કે 40 વર્ષ પહેલાં તેઓ આપણી સાથે જ હતા.

2. પાકિસ્તાન લડે છે છતાં પણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન આપણી સામે લડતું રહે છે. તેણે ભારત સાથે 4 યુદ્ધ કર્યાં છે. હુમલો પાકિસ્તાન જ કરે છે. તેઓ દિવસ અને રાત આપણું અપમાન કરી રહ્યા છે તો પણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે.’

3. પાકિસ્તાન માગતું નથી, પણ આપણે ઘઉં મોકલવા જોઈએ
સહ સરકાર્યવાહકે કહ્યું, ‘બંને દેશ વચ્ચેના આ અંતરનો શું ફાયદો? અમે તો ઈચ્છીએ છીએ કે તેમને ત્યાં કોઈ કૂતરો પણ ભૂખ્યો ન રહે. અમે સર્વ ભવન્તુ સુખિનઃ માં વિશ્વાસ રાખતા દેશમાંથી છીએ. પાકિસ્તાન આપણી પાસે માગતું નથી, પણ ભારતે તેને ઘઉં મોકલવા જોઈએ. ભારતની ધરતી પર કોઈપણ વ્યક્તિ ભલે તે જૈન, શીખ, વૈષ્ણવ, આર્ય સમાજ, બધા જ સર્વે ભવન્તુ સુખિન: વિના અધૂરા છે.

કંગાળ થયેલા પાકિસ્તાન બાબતના અન્ય સમાચાર પણ વાંચો..

પાકિસ્તાનના PM-મંત્રીઓ વેતન નહીં લે: શાહબાઝ શરીફે નેતાઓને કહ્યું- વીજળી, પાણી અને ગેસનાં બિલ જાતે ભરો; શક્તિશાળી સૈન્ય બાબતે મૌન સેવ્યું

કંગાળ થયેલા પાકિસ્તાનને બચાવવા માટે હવે માત્ર 3 અબજ ડોલરની ફોરેન રિઝર્વ (થાપણો) સાથે છેલ્લા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાત્રે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જોડાયેલી મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ વેતન લઈશું નહીં. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનાં બિલ ચૂકવશે.

પાકિસ્તાનીઓ મોદીને PM બનાવવા માગે છે: જનતાએ કહ્યું- અમને ઈમરાન, શાહબાઝ નહીં, પણ મોદી જોઈએ છે; અમારાં બાળકોને ખવડાવી તો શકીશું,

પાકિસ્તાની યુટ્યૂબર સના અમજદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતો જોવા મળ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાતનું ગ્રોથ એન્જિન ટોપ ગીયરમાં:બજેટના કદને 1 લાખ કરોડે પહોંચતા 57 વર્ષ લાગ્યા, જ્યારે 2 વર્ષમાં 2 લાખ કરોડ ને બીજા 2 વર્ષમાં તો 3 લાખ કરોડને પાર!
Next: રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાશે, સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.