Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • મહાઠગની પત્ની ઝડપાઈ:પૂર્વમંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના ગુનામાં કિરણ પટેલની પત્ની માલિનીની જંબુસરથી ધરપકડ
  • Uncategorized

મહાઠગની પત્ની ઝડપાઈ:પૂર્વમંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના ગુનામાં કિરણ પટેલની પત્ની માલિનીની જંબુસરથી ધરપકડ

Real March 28, 2023
17_1679983803
Spread the love

PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે પોતાના સંબંધીને ત્યાં જંબુસર હતી ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી
કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા PMOના અધિકારીની ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે.

જવાહર ચાવડાના ભાઈએ ફરિયાદ કરી હતી
ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી,. જેમાં કિરણ પટેલ અને માલિની પટેલે બંગલા માટે દાવો કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાતાં માલિની તેના ઘરેથી ફરાર થઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળતાં માલિની પટેલની જંબુસરથી તેના સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. માલિની પટેલને અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવી છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને પણ અમદાવાદ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો
શિલજમાં રહેતા જગદીશ ચાવડા જમીન લે-વેચનું કામ કરે છે. શિલજમાં નીલકંઠ બંગલોઝમાં જગદીશભાઈનો બંગલો આવેલો છે, જે વેચવા માટે તેમણે પરિચિત લોકો સાથે ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. એ વાત ઠગ કિરણ પટેલ સુધી પહોંચતાં તેણે ે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે જગદીશ ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે એવું જણાવ્યું હતું.
જગદીશભાઈને ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા
ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈએ કહ્યું હતું કે રિનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે એવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. એ બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા. તેણે ટી પોસ્ટમાં ભાગીદાર હોવાનું જણાવ્યું તથા પોતે રાજકીય વગ ધરાવે છે અને પ્રધાનમંત્રીની ઓફિસમાં કલાસ-1 અધિકારી છે એવું જણાવ્યું હતું. પોતાને રિનોવેશનનો શોખ હોવાનું પણ જણાવ્યું હતું.
કિરણ પટેલે ઇન્ટીરિયર ડિઝાઈનરને બંગલો બતાવ્યો
જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં ઇનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. 2 દિવસ બાદ કિરણ તેની પત્ની માલિની અને ઇન્ટીરિયર ડિઝાઈનર જુબિન પટેલ સાથે બંગલે આવ્યો અને એ બતાવ્યો હતો. બીજા જ દિવસથી કિરણ 8-10 કારીગર લાવીને રિનોવેશનનું કામ શરૂ કરાવી દીધું. જગદીશભાઈ બંગલો રિનોવેશન થતો હોવાથી શેલામાં રહેતા મિત્રના બંગલે શિફ્ટ થઈ ગયા હતા.
કિરણે કહ્યું બંગલો મારે જ ખરીદવો છે
જગદીશ ચાવડાને કામ હોવાથી તેઓ જૂનાગઢ ગયા હતા. આ દરમિયાન કિરણે બંગલા બહાર પોતાના નામની પ્લેટ લગાવી અને વાસ્તુ-પૂજન કરાવ્યું હતું. જગદીશભાઈને જાણ થતાં તેઓ બીજા જ દિવસે બંગલે પહોંચ્યા અને કિરણ સાથે વાતચીત કરી તો કિરણે જણાવ્યું કે બંગલો મારે જ ખરીદવો છે. અદાણીમાં એક મોટું કામ કર્યું છે, જેનું પેમેન્ટ આવતાં જ તમને બંગલાનું પેમેન્ટ કરી દઈશ.
કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો
કિરણ પર શંકા જતાં જગદીશભાઈએ હાલ બંગલાનું કામ કરવા જણાવ્યું તો કિરણ અધૂરું કામ મૂકીને જતો રહ્યો હતો, જેથી જગદીશભાઈ બંગલે રહેવા આવી ગયા હતા. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી, જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાહુલે કહ્યું- સાવરકર નહીં, હું ગાંધી છું, માફી નહીં માગું:મોદી અને અદાણી અંગે સવાલ પૂછતો રહીશ, સભ્યપદ છીનવીને ડરાવી નહીં શકો
Next: AAPએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર જાહેર કર્યા, 30 માર્ચ સુધીમાં દેશભરમાં લગાવાનો પ્લાન

Related Stories

the Varachha Co-op. Bank surat
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.