Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • શરદ પવાર બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ: જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ આપ્યા રાજીનામા
  • INDIA

શરદ પવાર બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ: જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ આપ્યા રાજીનામા

Real May 3, 2023
452ypvwx
Spread the love

સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ઝટકો ગણાવ્યો

મુંબઈ, તા. 03 મે 2023, બુધવાર

શરદ પવારના NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામા બાદ પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જિતેન્દ્ર આવ્હાડે NCPના જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આવ્હાડે પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે.

NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે. મંગળવારે જ અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને હવે પાર્ટીના નવા અધ્યક્ષને લઈને અસ્પષ્ટતા છે. NCPના નવા અધ્યક્ષ પદ માટે પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલેનું નામ સામે આવી રહ્યુ છે. જોકે, હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કારાણ કે, NCPમાં અનેક નેતાઓનો દાવો છે કે, નવા અધ્યક્ષ પરિવારનો કોઈ સદસ્ય નહી હશે.

બીજી તરફ NCPના નેતા છગન ભુજબળનું કહેવું છે કે, જો શરદ પવાર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે તો રાજ્યની જવાબદારી અજિત પવારને અને સુપ્રિયા સુલેને કેન્દ્ર સોંપવું જોઈએ. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ઝટકો ગણાવ્યો છે. રાઉતે કહ્યું કે, પવારના નિર્ણયથી મહારાષ્ટ્ર અને દેશમાં ચોક્કસપણે હલચલ મચી જશે.

Continue Reading

Previous: 2023નું પ્રથમ વાવાઝોડું ‘મોચા’ આ રાજ્યોમાં ત્રાટકવાની શક્યતા, હવામાન વિભાગે ઉચ્ચારી ચેતવણી
Next: અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.