Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • મકાન ધરાશાયી થતાં ઈજા પામેલા લોકો પાસે SVP હોસ્પિટલે સારવાર માટેના પૈસા માંગ્યા, વિપક્ષનો હંગામો
  • TECH

મકાન ધરાશાયી થતાં ઈજા પામેલા લોકો પાસે SVP હોસ્પિટલે સારવાર માટેના પૈસા માંગ્યા, વિપક્ષનો હંગામો

Real July 10, 2023
kakxneqs
Spread the love

AMCના વિપક્ષના નેતા સહિત કોર્પોરેટરો અને કાર્યકરોએ વહીવટી તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ શહેરમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરના મીઠાખળી વિસ્તારમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ચારેય ઈજાગ્રસ્તોને શહેરની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો પાસેથી વ્યક્તિ દીઠ આઠ હજાર રુપિયા લેખે સારવારના કુલ 24 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે વિપક્ષે હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિપક્ષના નેતાઓએ હોસ્પિટલમાં જઈને વિરોધ કર્યો

AMCના વિપક્ષના નેતાઓએ એસવીપી હોસ્પિટલમાં ‘ગરીબો કો લૂંટના બંધ કરો, ન્યાય આપો ન્યાય આપો’ જેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ માંગ કરી હતી કે, માનવતાના ધોરણે દરેક ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, ગરીબો માટેની VS હોસ્પિટલને બંધ કરીને 750 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 1200 બેડની એસવીપી હોસ્પિટલમાં ગરીબોની સારવાર હવે શક્ય નથી.

ભાજપ દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે

વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, આજે મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઇજાગ્રસ્ત લોકોને સારવારની જગ્યાએ તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું તેનું ઉદાહરણ છે. આટલી મોટી રકમ તેઓ પાસે ના હોવાથી LG હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓની સારવારના ભાજપ સરકાર દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓ માટે કોઈ અવકાશ નથી.

Continue Reading

Previous: અમદાવાદમાં વરસાદમાં જીવના જોખમે બહાર નીકળજો, જમાલપુરમાં એક આધેડ ભૂવામાં ખાબક્યા
Next: સુરતમાં આગ દુર્ઘટના:ભટારમાં કાપડની દુકાનમાં આગ લાગતાં ભાગદોડ, કાપડનો જથ્થો અને સિલાઈ મશીન સહિતની સામગ્રી બળીને ખાખ

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.