Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ
  • INDIA

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ

Real July 7, 2023
yww4kz51
Spread the love

હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં બિહાર અને તેલંગાણા સિવાય દેશનાં તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

ઉત્તરાખંડના ચમોલીમાં પહાડો પરથી પથ્થરો પડવાના કારણે બદરીનાથ હાઈવે પણ બંધ છે. છેલ્લા 10 દિવસમાં આ હાઈવે ચોથી વખત બંધ કરવામાં આવ્યો છે. જ્યારે, પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં શુક્રવારે વાદળ ફાટવાના કારણે પુલ ધોવાઈ ગયો હતો. અહીં ચલ ગામમાં 200 લોકો ફસાયેલા છે. બચાવકાર્ય માટે ગયેલી SDRFની ટીમ પણ ફસાઈ ગઈ હતી.

બીજી તરફ હિમાચલ પ્રદેશના કાલકા-સોલન હાઈવે પર પહાડો પરથી અચાનક પથ્થરો પડવા લાગ્યા હતા.આ દુર્ઘટનામાં એક કાર માંડ માંડ બચી ગઈ હતી.

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં ગુરુવારે વીજળી પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યા. કેરળના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. કન્નુર, કાસરગોડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલપ્પુઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં રસ્તાઓ પર હોડી ચલાવવી પડી હતી. એક હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રાને બંને રૂટ પર રોકી દેવામાં આવી છે
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારસુધીમાં 80 હજારથી વધુ લોકો અમરનાથનાં દર્શન કરી ચૂક્યા છે.

કેવા રહેશે આગામી 24 કલાક…

આ રાજ્યોમાં ભારે વરસાદ થશેઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા , છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ.

આ રાજ્યોમાં હળવો વરસાદ પડશે: બિહાર, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશેઃ આંધ્રપ્રદેશના રાયલસીમા, મહારાષ્ટ્રના મરાઠાવાડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં વરસાદની અપેક્ષા નથી.

હિમાચલઃ સિરમૌરમાં ભૂસ્ખલનથી 45 રસ્તા બંધ, ગુરુદ્વારાની છત પડી
હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભૂસ્ખલનને કારણે 45 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. મંડીના કેન્હવાલ ગામમાં પહાડ રસ્તા પર પડી ગયો. ગુરુવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે સિરમૌરના રાજગઢમાં ગુરુદ્વારાની નિર્માણાધીન ઈમારતની છત તૂટી પડી હતી.

મધ્યપ્રદેશઃ ભોપાલ, ઈન્દોર સહિત 38 જિલ્લામાં ભારે વરસાદ, વીજળી પડવાથી 6નાં મોત
મધ્યપ્રદેશમાં બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે રાજ્યના 60 ટકાથી વધુ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર સહિત 38 જિલ્લામાં ભારે વરસાદ થશે. હવામાનશાસ્ત્રીઓના મતે આ જિલ્લાઓમાં અઢીથી ચાર ઈંચ વરસાદ પડી શકે છે. ઘણી જગ્યાએ વીજળી પડવાની ઘટનામાં 6 લોકોનાં મોત થયાં છે.

UP: 29 જિલ્લામાં વરસાદનું એલર્ટ, 5 દિવસ આવું રહેશે હવામાન
યુપીમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ હવામાન વિભાગે પશ્ચિમ યુપીના 29 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે રાજ્યના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ પડ્યો હતો. IMD અનુસાર, રાજ્યમાં 12 જુલાઈ સુધી વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે. ગુરુવારે 10 મિમી વરસાદથી ગાઝિયાબાદ જળબંબાકાર થઈ ગયું હતું. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની નીચેની માટી અંદર ખાબકી.

બિહાર: 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, બેતિયામાં અનેક ગામો ડૂબી ગયાં; ગંગા-કોસી વધી રહી છે
બિહારના 8 જિલ્લામાં આજે ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. નેપાળ અને બિહારમાં અવિરત વરસાદને કારણે નદીઓ તણાઈ રહી છે. ગંગા, કોસી અને બાગમતીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. જોકે અત્યારે પણ બિહારમાં સામાન્ય કરતાં 24% ઓછો વરસાદ થયો છે. બેતિયામાં ગંડક બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીમાં અનેક ગામો ડૂબી ગયાં છે.

Continue Reading

Previous: 8 મિનિટમાં લિફ્ટમાંથી રેસ્ક્યુ:સુરતના મોટા વરાછામાં આદિત્ય કોમ્પ્લેક્ષમાં લિફ્ટ બંધ પડી જતાં 3 બાળકો સહિત 10 ફસાયા, ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢ્યા
Next: મોટી દુર્ઘટના ટળી:સુરતના કાપોદ્રાના શંકર ઇન્ડસ્ટ્રીઝના ટ્રાન્સફોર્મરમાં મોડીરાત્રે ધડાકા સાથે અચાનક આગ ભભૂકી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.