Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • September
  • બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ, તેજસ્વી સાથેની મુલાકાત બાદ નીતિશ ફરી ગુલાંટ મારે તેવી આશંકા
  • INDIA

બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ, તેજસ્વી સાથેની મુલાકાત બાદ નીતિશ ફરી ગુલાંટ મારે તેવી આશંકા

Real September 6, 2024
nitish kumar
Spread the love

Bihar Nitish Kumar News Updates| બિહારની રાજધાની પટનામાં ત્રણ દિવસ પહેલા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે મુલાકાત થતાં ભાજપમાં ટેન્શન છે. નીતિશ અને તેજસ્વી રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક માટે મળ્યા હોવાનો દાવો કરાય છે પણ ભાજપ માને છે કે, નીતિશ ફરી પલટી મારવાની તૈયારીમાં છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવના કારણે ૨૦૨૫ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાને પણ ડૂબાડી દેશે એવો નીતિશને ડર હોવાથી અત્યારથી પલટી મારવાનો તખ્તો તૈયાર કરવા માંડયો છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૨માં જ્ઞાાતિ આધારિત વસ્તી ગણતરીને મુદ્દે નીતિશ અને તેજસ્વીની મુલાકાત થઈ પછી નીતિશે ભાજપનો સાથ છોડીને આરજેડીનો ટેકો લીધો હતો. નીતિશ અત્યારે ફરી એ જ ઈતિહાસ દોહરાવે એવી શક્યતા છે.

જેડીયુનાં સૂત્રો પણ નીતિશ ગમે ત્યારે પલટી મારશે એ વાત સ્વીકારે છે. જેડીયુનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપ નીતિશના ટેકાથી ટક્યો હોવા છતાં વારંવાર જેડીયુને અપમાનિત કરે છે અને માન નથી આપતો તેથી નીતિશ નારાજ છે. તાજેતરમાં જેડીયુના પ્રવક્તા કે.સી. ત્યાગીનાં નિવેદનો સામે વાંધો લઈને ભાજપે નીતિશને ત્યાગીને પ્રવક્તાપદેથી રાજીનામું અપાવવાની ફરજ પાડી હતી. ત્યાગીના રાજીનામા પછી નીતીશની તેજસ્વી યાદવ સાથે મુલાકાત થઈ એ સૂચક છે. જેડીયુનાં સૂત્રોનું કહેવું છે કે, જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મોદી સરકારના વલણથી પણ નીતિશ નારાજ છે. હાઇકોર્ટે બિહાર સરકારના જ્ઞાાતિ આધારિત સર્વેક્ષણ અને તેના કારણે કરાયેલી અનામતની જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું વલણ મહત્વનું છે. નીતિશે મોદી સરકારને વારંવાર આ મુદ્દે વલણ સ્પષ્ટ કરીને કેસનો ઝડપથી નિકાલ કરાવવા કહ્યું છે પણ કેન્દ્ર આ અંગે બહુ સક્રિય નથી. બિહારને જ્ઞાાતિ આધારિત સર્વેના જોરે અનામત માટે લીલી ઝંડી મળે તો અન્ય રાજ્યોમાં આ માંગ વધુ તીવ્ર બનશે. કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોને તેનો વધુ ફાયદો થશે એવું ભાજપને લાગે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું
Next: સુરતના મોટા વરાછામાં “સુદામા કા રાજા” ગણપતિ બપ્પાનું ભવ્ય આગમન

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.