Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • ભાજપની યાત્રા બાદ સોશ્યલ મિડિયામાં ગણેશ યાત્રા માટે મંજુરીની માગણી
  • GUJARAT
  • INDIA

ભાજપની યાત્રા બાદ સોશ્યલ મિડિયામાં ગણેશ યાત્રા માટે મંજુરીની માગણી

Real August 19, 2021
ganpati-visarjan
Spread the love

સુરત સહિત ગુજરાતમાં ભાજપની જન આર્શિવાદ યાત્રામાં હજારો લોકોની ભીડ ભેગી થયાં બાદ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ માટે ગણેશ ભક્તોએ મંજુરી માટે સોશ્યલ મિડિયામાં અભિયાન શરૃ કરી દીધું છે. જો ભાજપની રેલીમાં હજારો લોકો જોડાતા હોય અને કોરોના સંક્રમણ ન થતું હોય તો ગણેશ ઉત્સવની ઉજવણી અને ગણેશ વિસર્જન માટે યાત્રાની મજુરી સરકારે આપવી જોઈએ તવી માગણી થઈ રહી છે. આગામી દિવસોમાં આ માગણી વધુ આક્રમક બનશે અને સરકારે મંજુરી આપવી પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સુરત સહિત ગુજરાતમાં ભાજપની જન આશિવાદ યાત્રા આગામી દિવસોમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. કેન્દ્રીય રેલ અને કાપડી મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશની આગેવાનીમાં સુરતમાં જન આર્શિવાદ યાત્રા નિકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. આ રેલીમાં મોટા ભાગના લોકએ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું જેના કારણે વિવાદ ઉભો થયો છે. રાજકારણીઓની યાત્રાને મંજુરી મળતી હોય અને સંક્રમણ ન ફેલાતું હોય તો ધાર્મિક યાત્રા માટે મંજુરી આપવી જોઈએ તેવી ઉગ્ર માગણી થઈ રહી છે.

ભાજપની યાત્રા બાદ સોશ્યલ મિડિયામાં ગણેશ ભક્તોએ ગણેશ વિસર્જનની મજુરીની માગણી શરૃ કરી છે. સોશ્યલ મિડિયામાં એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે કે, જો રાજકારણીઓને રેલી કાઢવા માટે પરવાનગી મળતી હોય તો ગણેશ આગમન અને વિસર્જન માટે પણ પરવાનગી આપવી જોઈએ. આ માગણી સાથે સંમત હોય તો ગણેશ ભક્તો આ પોસ્ટ સાથે રાજકારણીઓની રેલીના ફોટા ફોરવર્ડ કરે તેવું કહેવાય રહ્યું છે.

બે દિવસ પહેલાં દશામાના તહેવારમાં વિસર્જન માટે તંત્રએ મજુરી આપી ન હતી અને તાપી નદીના ઓવારા સીલ કરી દેવાયા હતા. તંત્રએ લોકોને ઘરે વિસર્જન કરવા માટે અપીલ કરી હતી પરંતુ હજારો લોકોએ તાપી નદીના કિનારે દશામાની પ્રતિમા મુકીને જતાં રહ્યાં હતા તેના કારણે લોકોની લાગણી દુભાઈ હતી. આવા દ્રષ્યો ગણેશ ઉત્સવ વખતે પણ જોવા મળે તેવી ભીતી છે. દશામાના તહેવારમાં જે સ્થિતિ થઈ તે ફરી ન થાય તે માટે ગણેશ ભક્તોએ ભાજપની યાત્રાને આગળ કરીને ગણેશ ઉત્સવ માટેની મંજુરી માગી રહ્યાં છે જેના કારણે આગામી દિવસોમાં તંત્ર મુશ્ક્લીમાં મુકાઈ શકે અને વિવાદ થાય તેવી શક્યતા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ, ડેમ રૂલ લેવાથી 20 ફુટ ખાલી છે
Next: ગાંધીબાગ માંથી ચંદનના ઝાડની ચોરી,સુરત મનપાનું નાક કપાયું

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.