Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજની મંડળીઓમાં લાભાર્થી ગ્રાહકો ને આપવામાં આવતા અનાજના જથ્થાની તપાસ જરૂરી
  • GUJARAT
  • INDIA

વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજની મંડળીઓમાં લાભાર્થી ગ્રાહકો ને આપવામાં આવતા અનાજના જથ્થાની તપાસ જરૂરી

Real June 30, 2022
WhatsApp Image 2022-06-29 at 6.25.21 PM
Spread the love

વલસાડ 29 (વિજય યાદવ )

કાળા બજારીયાઓનું મુખ્ય મથક બની ગયેલ વાંસદા તાલુકામાં સસ્તા અનાજના દુકાન સંચાલકો લાભાર્થી ગ્રહકોનું સરેઆમ શોષણ કરી રહ્યા ની લાંબા સમયથી બૂમ ઉઠી છે સસ્તા અનાજના દુકાન સંચાલકો ગરીબો માટે આવતા સરકારી અનાજમાં કટકી મારી મારવાડી વેપારીઓને વેચી પોતાના ગાજવા ભરી રહ્યાની ઉઠેલી લોકબુમથી વાંસદા તાલુકા પુરવઠા અધિકારી વિરલ પટેલ સહીત નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્નનો લાગ્યા છે
વાંસદા તાલુકામાં કેટલાક સસ્તા અનાજના દુકાનસંચાલકો ફાટીને ધુમાડે ચઢ્યા છે વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજ મંડળીના સંચાલકો મહિનાના આખરી દિવસોમાં અનાજનું વિતરણ કરે છે જેને કારણે મંડળી પર લાભાર્થી ગ્રાહકોની ભારે ભીડ થતી હોય છે અનાજ મેળવવા માટે ગરીબ લાભાર્થીઓ મંડળી પર સવારમાં આવી જઈ લાઈનમાં માં ઉભા રહેવા મજબુર બન્યા છે બેસવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે ગ્રાહક લાભાર્થીઓ. મજબૂરીમાં ઘેટાં બકરાની જેમ બેસી તંત્રની અનાજ વિતરણની નીતિ સામે ફિટકાર વરસાવી રહ્યા છે સરકારે કુપનના રૂપિયા લેવા માટે નાફરમાન જાહેર કર્યું છે પરંતુ સસ્તા અનાજના દુકાન સંચાલકો કુપન પેટે લગભગ દશ રૂપિયા વસૂલી રહ્યાની પણ બૂમ ઉઠી છે. કૂપનના રૂપિયા અનાજના રૂપિયા સાથે જ ગણી ને લઇ લેવામાં આવે છે જેને કારણે ઓછું ભણેલા ગ્રાહકો સમજી શકતા નથી પ્રધાનમંત્રી તરફથી મફતમાં મળતા અનાજમાં વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને ચાર કિલો ચોખા સહીત રૂપિયાથી આપવામાં આવતું રેગ્યુલર અનાજમાં વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવે છે પરંતુ અહીં કેટલાક ગ્રાહકોને મફત વાળું અનાજ અપાતું ન હોવાની પણ બૂમ ઉઠી છે મોડાઆંબા ગામની અનાજ મંડળી 28મી જૂને બંધ હતી લાભાર્થી ગ્રાહકો અનાજ લેવા માટે આવ્યા પરંતુ મંડળી બંધ હોવાને કારણે અનાજ લેવા વગર જ પરત ગયા મોડાઆંબા ગામના મંડળી સંચાલક બીમાર હોવાને કારણે કણધા ગામની મંડળી સંચાલકને ત્યાંનો કારભાર સુપ્રત કરવામાં આવ્યો છે પરંતુ કણધા મંડળીમાં ગ્રાહકોને શંતોષજનક સેવા ન આપી શકનાર મંડળી સંચાલક મોડાઆંબાના લાભાર્થી ગ્રાહકોને કેવી સેવા આપતો હશે તે સમજવું બહુ મુશ્કેલ નથી લોકોને અનાજ ઓછું મળતું હોવાની રજુવાતો છતાં વાંસદા તાલુકા પુરવઠા અધિકારી વિરલપટેલના પેટનું પાણી હલતું નથી વિરલ પટેલ સસ્તા અનાજના દુકાન સંચાલકોના ખોળામાં બેસીને ફરજ બજાવતા હોવાને કારણે ગ્રાહકોની રજુવાતોની અવગણના કરતા હોવાની ગ્રાહકોમાં ચર્ચાય રહ્યું છે આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક નો પ્રોબ્લેમ છે જેથી કોઈ ગ્રાહક ફોન દ્વારા જિલ્લાપૂર્વઠા અધિકારીને ફરિયાદ કરવા માંગે તો ફરિયાદ કરી શકતો નથી અને ગ્રાહક નેટવર્ક વાળા વિસ્તારમાં જઈ ફોન કરે તો જિલ્લા પુરવઠા અધિકારી ફોન રિસીવ કરતો નથી આ વિસ્તારમાં ચાલી રહેલ સરકારી અનાજની કાળા બજારી પુરવઠા વિભાગની રહેમ રહે ચાલી રહ્યું હોય તેમ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ વ્યાપી છે

Continue Reading

Previous: ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતાએ કુહાડી મારી પુત્રની હત્યા કરી
Next: સુરતમાં મેઘ મહેર યથાવત:સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી, વરાછામાં ધોધમાર દોઢ ઈંચ અને કતાર ગામમાં એક ઈંચ વરસાદ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.